Tragic Accident in Ahmedabad: શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આજે બપોરે એક કરૂણ અકસ્માત સર્જાયો છે. પલ્લવ ચાર રસ્તા પાસે ડીપીએસ (DPS) સ્કૂલની બસે એક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું છે.

Tragic Accident in Ahmedabad: શું બની ઘટના?
આજે બપોરે આશરે ૨:૧૫ થી ૨:૩૦ વાગ્યાના સુમારે, યુવરાજ (ઉંમર ૧૯-૨૦ વર્ષ) તેના એક્ટિવા પર જઈ રહ્યો હતો. શાસ્ત્રીનગર પલ્લવ ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ ચાલુ હોવાથી રોડ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. આ કારણે સ્કૂલ બસના ચાલકે મોટો વળાંક લેવો પડ્યો હતો. તે દરમિયાન ફૂલ સ્પીડમાં આવી રહેલું યુવરાજનું એક્ટિવા બસ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો અને તેના માથા પર વ્હીલ ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Tragic Accident in Ahmedabad: ડ્રાઈવર અને કંડકટર ફરાર
અકસ્માત બાદ બસમાં સવાર બાળકોની સુરક્ષાની પરવા કર્યા વિના, બસનો ડ્રાઈવર અને કંડકટર બંને બાળકો અને બસને ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભારે રોષ જોવા મળ્યો હતો.
પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટ્રાફિક પીઆઈ આર.એસ. પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતકની ઓળખ યુવરાજ તરીકે થઈ છે. પોલીસે હાલમાં લાશને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલી આપી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવાર પર આભ તૂટી પડ્યું છે ત્યારે પોલીસ ફરાર ડ્રાઈવરને પકડવા માટે તપાસ તેજ કરી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
રાધનપુરમાંથી અંદાજે ₹૫ લાખનો ગાંજો ઝડપાયો, બે શખ્સો જેલના સળિયા પાછળ




