ઇમ્ફાલમાં ફરી કેમ ફાટી નિકળી હિંસા

0
37

દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી ઉઠી છે. પરિસ્થિતિને જોતા શહેરમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેનાને પરત બોલાવવામાં આવી છે. હિંસાગ્રસ્ત શહેરમાં ઘણા દિવસો સુધી શાંત માહોલ બાદ આજે બપોરે ફરીથી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી.સૂત્રો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, રાજ્યની રાજધાની ઇમ્ફાલના ન્યૂ ચાકોન વિસ્તારમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે સોમવારે બપોરે ઝઘડો થયો હતો. સ્થાનિક બજારમાં એક જગ્યાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જેણે થોડી જ વારમાં ભયંકર વળાંક લીધો હતો. વિસ્તારમાં આગચંપી શરૂ થઈ ગઈ. આવા અહેવાલો મળ્યા બાદ પ્રશાસને રાજધાનીમાં કર્ફ્યુ જાહેર કરી દીધો છે.