સીઆર પાટીલે કોંગ્રેસના નેતાઓને કેમ કહ્યા લલ્લુ

0
37

ગુજરાતમાં ભાજપે 2024 લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી

સીઆર પાટીલે કાર્યકર્તાઓને જીત માટે કર્યો આહ્વાન

ગુજરાત ભાજપ હવે લોકસભા ઇલેક્શન 2024ના પ્રચાર માટે લાગી ગઇ છે, કચ્છમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ પહોચ્યા હતા, જ્યાં તેઓએ કાર્યકરોને લોકસભા ચૂંટણીની કામગીરીમાં લાગી જવા હાકલ કરી હતી, તેઓએ જણાવ્યુ કે 2024માં ફરીથી ભાજપનું વિજય થશે, તમને જણાવી દઇએ કે 2024 માટે હાલ કોગ્રેસ સહિત સ્થાનિક પક્ષો ભાજપ  અને પીએમ મોદી માટે પડકાર બની રહ્યા છે, સાથે કર્ણાટક વિધાનસભામાં ભાજપના હાર બાદ વિપક્ષોનો મનોબળ મજબુત થયો છે, ત્યારે હવે ભાજપ સામે મુશ્કેલી છે, ત્યારે સીઆર પાટીલે કાર્યકર્તાઓમાં  ઉત્સાહ ભર્યો છે,તમને જણાવી દઇએ કે ગુજરાતમાં 2014  અને 2019મા ભાજપે તમામ 26 લોકસભા સીટો જીતી હતી, ત્યારે આ વખતે પણ વધુ માર્જીનથી સીટો જીતાય તે માટે ભાજપ તૈયારીઓમાં લાગી ગયુ છે, તમને એ પણ જણાવી દઇએ કે કચ્છના કાર્યક્રમાં તેઓ રામ મંદિર મુદ્દે કોંગ્રેસના નેતાઓને લલ્લુ કહ્યુ અને 2024 જાન્યુઆરીમાં રામ મંદિર જવાની સુચના આપી

વધુ સમાચારો માટે જોતા રહો વીઆ લાઇવ ન્યૂઝ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.