ભુપેશ બધેલે મોહન ભાગવતને કેમ કહ્યા કુંભકર્ણ

0
38

ભુપેશ બઘેલે મોહન ભાગવતને કર્યા સવાલો

પીએમમોદી દેશનું અપમાન કરે તો કેમ કુંભકર્ણની નિદ્રામાં ઉંધો છો- બઘેલ

મુસ્લિમ લીગના નિવેદન ઉપર રાહુલ ગાંધીની આલોચના કરવું હવે મોહન ભાગવતને ભારે પડી ગયુ છે, કોગ્રેસના નેતા અને છત્તિસગઢના સીએમ ભુપેશ બઘેલે કહ્યુ છે કે રાહુલ ગાંધીએ કેરળના મુસ્લિમ લીગની વાત કરી છે, તેઓએ કોઇ જિન્નાહની મુસ્લિમ લીગની વાત નથી કરી,, ત્યારે હવે જ્યારે મોહન ભાગવત બોલી રહ્યા છે,ત્યારે દેશના લોકોનું મોહન ભાગવતને સવાલ છે કે જ્યારે પીએમ મોદી વિદેશમાં જઇને દેશનુ અપમાન કરે છે ત્યારે શુ તેઓ કુંભકર્ણની નિદ્રામાં હતા, તેઓ સાંસ્કૃતિક સંગઠનના વડા છે તો તેમને  નિરપેક્ષ રીતે વર્તવું જોઇએ પણ તેઓએ સાબિત કર્યુ છે કે તેમનું સંગઠન સાંસ્કૃતિક નથી, તમને જણાવી દઇએ કે વિદેશમાં રાહુલ ગાંધીના નિવેદનોથી ભાજપ સરકાર અને આર એસ એસ બન્ને પરેશાન છે,