પંજાબના ખેડુતો ફરી નારાજ થયા છે, પણ આ વખતે તેઓ ભગવંત માન સરકારથી નારાજ છે અને રેલ રોકો આંદોલન કરી રહ્યા છે,, તમને જણાવી દઇએ કે ગુરદાસપુરમાં જમીન સંપાદનને લઇને સ્થાનિક ખેડુતો અને પોલીસ વચ્ચે વિવાદ થયો હતો, જેમાં પોલીસે લાઠી ચાર્જ કરીને મહિલા ખેડુતો સાથે મારા મારી કરી હતી જેના વિડીયો સામે આવતા પંજાબમાં ઠેર ઠેર ખેડુતો હવે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રેલ રોકો આંદોલનની શરુઆત કરી દીધી છે,