GoldyBrar : તમે પંજાબી સિંગર સિદ્ધુ મુશેવાલાનું નામ સાંભળો એટલે એકનામ ચોક્કસ યાદ આવે ગોલ્ડી બરાડ , પંજાબી ગાયક સિદ્ધુ મુશેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ હતો ગોલ્ડી બરાડ, જેને આજે કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કરી દીધો છે.
કેન્દ્ર સરકારે કેનેડામાં છુપાયેલા ગોલ્ડી બરાડને આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયે ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડી બરાડે આ વર્ષે જૂન મહિનામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનને પણ મારી નાખવાની ધમકી આપી હતી.
કોણ છે ગોલ્ડી બરાડ ? GoldyBrar
ગેંગસ્ટર ગોલ્ડી બરાડનું (GoldyBrar) સાચું નામ સતીન્દરજીત સિંહ છે. ગોલ્ડી બરાડ પંજાબના મુક્તસરના આદેશ નગરનો રહેવાસી છે. બાદમાં ગોલ્ડી બરાડનો પરિવાર ફરીદકોટ શિફ્ટ થયો હતો. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ગોલ્ડીએ અનેક ગુના આચર્યા છે. ગોલ્ડી કોલેજકાળથી જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સંપર્કમાં આવી ગયો હતો. ધીરે ધીરે ગોલ્ડી ગેંગસ્ટર લોરેન્સનો જમણો હાથ બની ગયો.
પોલીસની નજરથી બચવા માટે ગોલ્ડી 2017માં ભારતથી કેનેડા ગયો હતો. કેનેડા પહોંચ્યા બાદ ગોલ્ડી લોરેન્સની ગેંગ ચલાવી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે ગોલ્ડીએ કેનેડામાં બેસીને સિદ્ધુ મૂશેવાલાની હત્યા કરાવી હતી. તેવું પણ કહેવાય છે કે તેણે રેપર હની સિંહને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ભાઈની હત્યાનો બદલો
ગોલ્ડી પહેલા, ગોલ્ડીનો પિતરાઈ ભાઈ ગુરલાલ બરાડ લોરેન્સનો જમણો હાથ કહેવાતો હતો . ગુરલાલ અને લોરેન્સે મળીને પંજાબ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી (SOPU) નામનું સંગઠન બનાવ્યું.ઓક્ટોબર 2020માં ચંદીગઢના ઔદ્યોગિક વિસ્તારમાં ગુરલાલની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ ગોલ્ડી ચોંકી ગયો હતો. ગોલ્ડી તેના ભાઈની હત્યાનો બદલો લેવા માંગતો હતો. ગોલ્ડી બદલો લેવા માટે લોરેન્સ બિશ્નોઈની નજીક આવ્યો.ગુરલાલ બરાડની હત્યામાં યુવા કોંગ્રેસ નેતા ગુરલાલ પહેલવાનનું નામ સામે આવ્યું હતું. ગોલ્ડીએ ગુરલાલ પહેલવાનને મારી નાખ્યો. આ હત્યા બાદ ગોલ્ડી કેનેડા ભાગી ગયો.
ગોલ્ડી બરાડે કહ્યું હતું- સલમાન મારી ગેંગનો ટાર્ગેટ છે.
થોડા મહિના પહેલા એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂશેવાલા હત્યા કેસના માસ્ટરમાઇન્ડ GoldyBrar કહ્યું હતું કે તેની ગેંગ ચોક્કસપણે સલમાન ખાનની હત્યા કરશે. આટલું જ નહીં વોન્ટેડ ગેંગસ્ટરે કહ્યું કે, ‘જ્યારે પણ અમને તક મળશે અમે તેને મારી નાખીશું.’
બરાડે કહ્યું કે ભાઈ સાહેબ (લોરેન્સ બિશ્નોઈ)એ તેમને કહ્યું હતું કે સલમાને માફી માંગી નથી. જ્યારે કોઈ ક્ષમાને લાયક હોય ત્યારે જ બાબા દયા બતાવે છે. આ પહેલા લોરેન્સ બિશ્નોઈએ પણ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલમાન ખાનને મારી નાખવો તેના જીવનનો સૌથી મોટો ધ્યેય છે.
તમે આ પણ વાંચી શકો છો
Bihar : આ પોલીસવાળા ગુંડાની હરકત તો જોવો, દલિત મહિલાને માર્યો ઢોર માર
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.