Home Desh Lok Sabha BJP Seat: શિવરાજ સિંહને દિલ્હીનું તેડું, વસુંધરા રાજે કેમ નહીં?...

Lok Sabha BJP Seat: શિવરાજ સિંહને દિલ્હીનું તેડું, વસુંધરા રાજે કેમ નહીં? રાજકીય અર્થઘટન…

0
995
Lok Sabha BJP Seat: શિવરાજ સિંહને દિલ્હીનું તેડું, વસુંધરા રાજે કેમ નહીં? રાજકીય અર્થઘટન...
Lok Sabha BJP Seat: શિવરાજ સિંહને દિલ્હીનું તેડું, વસુંધરા રાજે કેમ નહીં? રાજકીય અર્થઘટન...

Lok Sabha elections / BJP Seat: દેશમાં લોકસભાની ચૂંટણી રંગ પકડી રહ્યો છે ત્યારે ભાજપે પોતાના રાજસ્થાનની 25 સીટોમાંથી 15 ચૂંટણીના મુરતિયાઓના નામ જાહેર કર્યા છે જયારે 10 સીટ હોલ્ડ પર રાખી છે. મહત્ત્વની વાત એ છે કે ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભાના પરિણામ બાદ જેને સાઇડ લાઈન કરવામાં આવ્યા હતા તે શિવરાજ સિંહને દિલ્હીથી તેડું આવ્યું, જયારે વસુંધરા રાજેને આવું કોઈ આમંત્રણ હજી સુધી મળ્યું નથી.

વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતને તેમની માનીતી સીટ ઝાલાવાડમાંથી ફરી ટિકિટ આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે વસુંધરા પોતે રાજસ્થાનને છોડવા માંગતા નથી. તે રાજસ્થાનમાં રહીને પોતાનું વર્ચસ્વ બનાવી રાખીને રાજકારણમાં રહેવા માંગે છે.

Lok Sabha BJP Seat: શિવરાજ સિંહને દિલ્હીનું તેડું, વસુંધરા રાજે કેમ નહીં? રાજકીય અર્થઘટન...
Lok Sabha BJP Seat: શિવરાજ સિંહને દિલ્હીનું તેડું, વસુંધરા રાજે કેમ નહીં? રાજકીય અર્થઘટન…

Lok Sabha BJP Seat: શિવરાજને ટિકિટ તો વસુંધરા રાજેને કેમ નહીં?

રાજકીય નિષ્ણાતોના અનુસાર વસુંધરા રાજેના બદલે વસુંધરા રાજેના પુત્રને ટિકિટ આપવામાં આવી શકે છે. મતલબ કે વસુંધરા રાજેના પુત્ર જ દિલ્હીના રાજકારણમાં સક્રિય રહેશે. રાજકીય નિષ્ણાતો એમ પણ કહે છે કે શિવરાજ સિંહ ચાલુ ધારાસભ્ય છે તેમ છતાં તેમને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વસુંધરા રાજેને ટિકિટ આપવામાં આવી નથી. વસુંધરા રાજે ધારાસભ્ય પણ છે. આવી સ્થિતિમાં સંભવ છે કે રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન થાય તો વસુંધરા રાજેને ફરીથી શાસન મળી શકે છે.

ભાજપે ભલે રાજસ્થાન ભજનલાલ શર્માને સોંપ્યું હોય, પરંતુ વસુંધરા રાજ જેવું  વર્ચસ્વ તેમનામાં નથી. રાજકીય નિષ્ણાતો એમ પણ કહે છે કે જો લોકસભાની ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન સારું નહીં રહે તો નેતૃત્વ પરિવર્તનની શક્યતાઓ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં વસુંધરા રાજેથી વધુ શક્તિશાળી નેતા કોઈ નથી.

મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત, કૈલાશ મેઘવાલ અને અર્જુન મેઘવાલને ટિકિટ આપીને ભાજપે સંકેત આપ્યા છે કે તેઓ કેન્દ્રીય રાજકારણમાં જ રહેશે. આવી સ્થિતિમાં, માત્ર વસુંધરા રાજે જ ફરીથી રાજસ્થાનની કમાન સંભાળી શકે તેમ છે.

Lok Sabha BJP Seat: રાજસ્થાનમાં સીટ મામલે ઉકળતા ચરૂ જેવી સ્થતિ

ભાજપે 7 નવા ઉમેદવારોની ટિકિટ (BJP Seat) આપીને  મોટા રાજકીય સંકેતો આપ્યા છે, પરંતુ ૩ મંત્રીઓ પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ચુરુથી રામસિંહ કાસવાનની ટિકિટ રદ કરવામાં આવી છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ચુરુના સાંસદ કાસવાનને રાજેન્દ્ર રાઠોડ સાથે દુશ્મનાવટ ભારે પડી છે. રાજેન્દ્ર રાઠોડે પોતાની હાર માટે ખૂદ સાંસદને જવાબદાર ઠેરવવાના સંકેત આપ્યા હતા. જોકે તેણે કોઈનું નામ લીધું ન હતું.

ભાજપે ચુરુથી દેવેન્દ્ર ઝાઝરિયાને ટિકિટ આપી છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે રામમંદિર અને રાષ્ટ્રવાદના આધારે ચાલી રહેલી ભાજપને પોતાના જ સાંસદોના કામમાં ભરોસો નહોતો, તેથી તેમણે ટિકિટો રદ્દ કરી. ભાજપે જે લોકસભાની જે 10 સીટો હોલ્ડ પર રાખવામાં આવી છે. આમાંથી અડધા સાંસદોની ટિકિટ પણ હવે જોખમમાં લાગી રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે