Vastu Tips: જો તમે આર્થિક રીતે સદ્ધર બનવા માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ તમારા બધા પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા છે અથવા ઘરમાં પૈસા નથી વધતા તો તેના માટે કેટલીક ભૂલો જવાબદાર હોઈ શકે છે. ઘરમાં રહેતા લોકોની આ ભુલો વાસ્તુ દોષનું પણ કારણ બને છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કરવામાં આવેલી કેટલીક ભૂલો વ્યક્તિને કરજમાં ડુબાડી શકે છે. આ ભુલો ગરીબીનું કારણ બને છે અને ધીમે ધીમે ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. તેથી આ ભૂલો કરવાનું ટાળવું જોઈએ.
![Vastu Tips](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/01/final-22.jpg)
01/05 Vastu Tips
![Vastu Tips](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/01/1-134.jpg)
ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય અંધારું ન રાખવું. ખાસ કરીને સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર લાઇટ રાખો. જો શક્ય હોય તો દરરોજ દીવો પણ પ્રગટાવો. મુખ્ય દ્વારા પર અંધારુ રાખવાથી ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે.
02/05 Vastu Tips
![Vastu Tips](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/01/૨-NAL.jpg)
ખોરાક અને પાણીનો ક્યારેય બગાડ ન કરો. ખોરાક ફેંકવાથી અથવા તેમનું અપમાન કરવાથી માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે. આ સિવાય ઘરના કોઈપણ નળમાંથી ટપકતું પાણી પણ વ્યક્તિને ધન હાનિ કરાવે છે.
03/05 Vastu Tips
![Vastu Tips](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/01/KHANDIT-MURTI.jpg)
તૂટેલી તસ્વીરો કે તૂટેલી મૂર્તિઓ ઘરમાં રાખવાથી ઘણી સમસ્યાઓ થાય છે. આવા ઘરમાં ક્યારેય ભગવાન વાસ કરતા નથી. આવી જગ્યાએ પારિવારિક સંબંધો પણ ખરાબ રહે છે અને પરિવારના લોકો વચ્ચે ઝઘડા થતા રહે છે.
04/05 Vastu Tips
![Vastu Tips](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/01/RASODU-600x394.jpg)
ઘરનું ગંદુ રસોડું અને બાથરૂમ મુખ્ય વાસ્તુ દોષમાંથી એક છે. જે ઘરમાં રસોડું અને બાથરુમ ગંદા હોય તે ઘરમાં સંપત્તિ ક્યારેય ટકતી નથી. આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો.
Table of Contents
તમે આ પણ વાંચી શકો છો
આ છે દેશના સૌથી મોંઘા વિસ્તાર. જ્યાં અમીરો પણ નથી ખરીદી શકતા પ્રોપટી