ભારતમાં બેરોજગારીનો દર 3 મહિનાના સર્વોચ્ચ સ્તરે

0
53

ભારતમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે.હવે ભારતમાં બેરોજગારી અંગે ચોંકવાનારા આંકડા સામે આવ્યાં છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) એ ભારતમાં બેરોજગારીના આંકડા જાહેર કર્યા છે. આ ડેટા અનુસાર માર્ચ મહિનામાં ભારતમાં બેરોજગારીનો દર ઝડપથી વધ્યો છે, જે ત્રણ મહિનાની ટોચે પહોંચી ગયો છે. આ બેરોજગારી એવા સમયે સામે આવી છે જ્યારે ભારત સહિત વૈશ્વિક સ્તરે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. ઘણી દિગ્ગજ કંપનીઓએ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને આ આંકડો વધુ વધી શકે છે. દેશમાં બેરોજગારીનો દર ડિસેમ્બર 2022માં વધીને 8.30 ટકા થઈ ગયો હતો, પરંતુ જાન્યુઆરીમાં ઘટીને 7.14 ટકા થઈ ગયો હતો. શનિવારે જાહેર કરાયેલા CMIE ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં બેરોજગારી ફરી વધી અને તે વધીને 7.45 ટકા થઈ ગઈ. જ્યારે માર્ચના નવા ડેટા અનુસાર ભારતમાં બેરોજગારી દર 7.8 ટકાના ઉચ્ચ સ્તરે છે. CMIEના ડેટા અનુસાર ભારતના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર માર્ચમાં 8.4 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી 7.5 ટકા છે. CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું કે માર્ચ 2023માં ભારતનું લેબર માર્કેટ પર માઠી અસર થઈ છે.