Twisha Case:સીબીઆઈ તપાસમાં પોલીસની મોટી બેદરકારી સામે આવી; ફાંસીનું દોરડું AIIMS મોકલવાને બદલે સબ ઈન્સ્પેક્ટરની કારમાં રખાયું, મનોચિકિત્સકની પૂછપરછ શરૂ
એક્ટ્રેસ ટ્વિશા શર્માના રહસ્યમય મૃત્યુ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ (CBI) જેમ-જેમ કડીઓ જોડી રહી છે, તેમ-તેમ અગાઉની પોલીસ તપાસની ગંભીર બેદરકારીઓ અને ગોટાળા સામે આવી રહ્યા છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, કેસના પ્રારંભિક તબક્કામાં જ તપાસ સંબંધિત અત્યંત ગુપ્ત અને મહત્વપૂર્ણ વિગતો આરોપીઓ સુધી પહોંચી રહી હતી, જેના કારણે તેઓ આગોતરા જામીન મેળવવામાં સફળ રહ્યા હતા.
Twisha Case:મહત્વપૂર્ણ પુરાવા ‘દોરડા’ની જપ્તીમાં મોટો લોચો

ટ્વિશાના પરિવાર વતી કોર્ટમાં દલીલ કરી રહેલા એડવોકેટ અંકુર પાંડેના જણાવ્યા અનુસાર, ૧૩ મે ૨૦૨૬ના રોજ સવારે સબ ઇન્સ્પેક્ટર (SI) દિનેશ શર્માએ ફાંસીનું દોરડું જપ્ત કર્યું હતું. પરંતુ, પોલીસ દસ્તાવેજોમાં આ દોરડાની ઓળખ કરનાર વ્યક્તિનો કોઈ સ્પષ્ટ રેકોર્ડ જ રાખવામાં આવ્યો નથી.
સૌથી આશ્ચર્યજનક બાબત: કાયદાકીય પ્રક્રિયા મુજબ આ દોરડાને તાત્કાલિક ફોરેન્સિક તપાસ માટે AIIMS હોસ્પિટલ મોકલવાનું હતું, તેને બદલે સબ ઈન્સ્પેક્ટરે તેને પોતાની અંગત કારમાં રાખી મૂક્યું હતું! આટલી ગંભીર બેદરકારી છતાં જવાબદાર SI સામે હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી.
Twisha Case:કેસ ડાયરીના ગુપ્ત દસ્તાવેજો આરોપીઓ પાસે કેવી રીતે પહોંચ્યા?

શરૂઆતમાં નિવૃત્ત જજ (સાસુ) ગિરિબાલા સિંહ અને પતિ સમર્થ સિંહ શંકાના દાયરામાં હોવા છતાં પોલીસે તેમની સામે યોગ્ય તપાસ ન કરી. કાયદાકીય રીતે જે કેસ ડાયરીના દસ્તાવેજો મેળવવાનો આરોપીઓને અધિકાર હોતો નથી, તે દસ્તાવેજો ગિરિબાલા સિંહે પોતાની આગોતરા જામીન અરજી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે પોલીસ વિભાગમાંથી જ કોઈ વ્યક્તિ તપાસની વિગતો લીક કરી રહ્યું હતું. (જોકે, ૨૭ મેના રોજ હાઈકોર્ટે ગિરિબાલાના આગોતરા જામીન રદ કરી દીધા છે).
Twisha Case:ટ્વિશા માનસિક બીમાર હતી? સીબીઆઈ દ્વારા મનોચિકિત્સકની કડક પૂછપરછ

કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સીબીઆઈએ ટ્વિશાની સારવાર કરનાર જાણીતા મનોચિકિત્સક ડૉ. સત્યકાંત ત્રિવેદીની પૂછપરછ કરી.
- શું છે મામલો? આરોપી ગિરિબાલા સિંહે કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે ટ્વિશા માનસિક રીતે પરેશાન હતી અને તેના ઇલાજના દસ્તાવેજો રજૂ કર્યા હતા.
- સીબીઆઈની તપાસ: તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ મેડિકલ દસ્તાવેજો અસલી છે કે કેસ નબળો પાડવા માટે ઊભા કરાયા છે. ડૉક્ટર પાસે ટ્વિશાની માનસિક સ્થિતિ, મુલાકાતો અને કાઉન્સેલિંગના પાસાઓની વિગતો મંગાઈ છે.
- ડૉક્ટરનું નિવેદન: ડૉ. સત્યકાંત ત્રિવેદીએ સીબીઆઈ પૂછપરછની પુષ્ટિ કરી છે, પરંતુ દર્દીની પ્રાઈવસીના નિયમો હેઠળ વધુ વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો છે.

જેલમાં સુરક્ષા વધારાઈ: ગિરિબાલાએ જેમને સજા આપી હતી તેવા ૨૯ કેદીઓ એ જ જેલમાં!
અગાઉ જેલમાં આરોપી ગિરિબાલા સિંહ અને સમર્થને વીઆઈપી (VIP) ટ્રીટમેન્ટ મળતી હોવાના અહેવાલો બાદ જેલ પ્રશાસને બંનેને હોસ્પિટલ વોર્ડમાંથી સામાન્ય બેરેકમાં શિફ્ટ કરી દીધા છે.
ગિરિબાલા સિંહ ૧૫ જુલાઈ ૨૦૨૧ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી ભોપાલ જિલ્લા કોર્ટમાં જજ રહી ચૂક્યા છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન જે ૨૯ ગુનેગારોને સજા સંભળાવી હતી, તેઓ પણ હાલ આ જ જેલમાં બંધ છે! આ સ્થિતિમાં ગિરિબાલા પર હુમલો થવાની આશંકાને પગલે જેલ પ્રશાસને સીસીટીવી (CCTV) કેમેરા વધારીને સુરક્ષા અત્યંત કડક કરી દીધી છે.
હાલમાં સીબીઆઈ ડિજિટલ પુરાવા, મેડિકલ રેકોર્ડ અને પોલીસના ગોટાળાઓને ધ્યાનમાં રાખીને આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ વધુ તેજ કરી રહી છે.




