આજથી કાળઝાળ ગરમીમાં રાહત મળશે: હવામાન વિભાગ

0
45

વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે

ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો શેકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે તેથી ગરમીનું પ્રમાણ ઘટશે અને સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે .

આંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે અને આગળ વધવાની પરિસ્થિતિ અનુકુળ છે જેથી ભેજ વધવાની સાથે બફારો વધશે સાથે જ વાતાવરણ સુકું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે .

અમદાવાદમાં ગઈકાલે 42 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આવનારા દિવસોમાં 2 થી 3 ડીગ્રી તાપમાન ઘટશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે રાજ્યભરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીથી 42 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ

સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ