SURENDRANAGAR NEWS : જાણો કોણ છે સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા ?

0
65
SURENDRANAGAR NEWS
SURENDRANAGAR NEWS

SURENDRANAGAR NEWS : કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. ત્યારે આજે આપણે સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા વિશેની માહિતી મેળવીશું .  કોણ છે ઋત્વિજ મકવાણા જેમણે કોંગ્રેસે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોર સામે મેદાને ઉતાર્યા છે.

SURENDRANAGAR NEWS

SURENDRANAGAR NEWS : કોંગ્રેસે કોળી મતદારોના પ્રભુત્વવાળી સુરેન્દ્રનગર બેઠક પર તેના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ જાહેર કરી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે ચુવાળીયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર બનાવ્યા છે. આમ સુરેન્દ્રનગર સીટ પર ભાજપના ચંદુભાઈ શિહોરા અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

SURENDRANAGAR NEWS

SURENDRANAGAR NEWS : સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર શરૂઆતથી જ કોળી સમાજના મતદારોનું વર્ચસ્વ રહ્યું છે અને રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજના ઉમેદવારને જ છેલ્લા ઘણા વર્ષોથી ટિકિટ આપી અને સાંસદ તરીકે ચૂંટાઈને દિલ્હી સુધી મોકલ્યા છે. આ લોકસભાની ચૂંટણી માટે પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કઈ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી તે અંગે લાંબા સમય સુધી ચર્ચાઓ અને અસમંજસ બાદ  કોંગ્રેસે  તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાના માથે સહેરો બાંધ્યો હતો.

SURENDRANAGAR NEWS

SURENDRANAGAR NEWS : રાજકીય પરિવારમાંથી આવે છે ઋત્વિજ મકવાણા

ઋત્વિજ મકવાણા ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ રહેલા છે અને તળપદા કોળી જ્ઞાતિમાં સારું એવું સન્માન પણ ધરાવે છે,  ઋત્વિક મકવાણા શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે અને તેમના પરિવારમાંથી કરમશીભાઈ મકવાણા કોંગ્રેસમાંથી પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ સવશીભાઈ મકવાણા પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે.

SURENDRANAGAR NEWS

SURENDRANAGAR NEWS : નોંધનીય છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ગુજરાતની નવમા નંબરની લોકસભા સીટ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે. સુરેન્દ્નનગર લોકસભા મતવિસ્તારમાં 40 ટકા જેટલા કોળી મતદારો ઉપરાંત ક્ષત્રિય, માલધારી-ભરવાડ, પાટીદાર, દલિત, મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10-10 ટકાની આસપાસ છે. બાકી રહેલા મતદારોમાં બ્રાહ્મણ-વાણિયા સહિતના સવર્ણો અને સથવારા સમાજના મતદારો મુખ્ય છે. ગુજરાતની ગણતરીની લોકસભા બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસનો રેકોર્ડ સારો હોય ને જીત માટે પ્રબળ દાવેદારી હોય, એમાંની એક બેઠક સુરેન્દ્રનગરની છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો