Home State Gujarat Surendranagar Canal Scam: નર્મદા કેનાલ સફાઈ કામગીરીમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકો...

Surendranagar Canal Scam: નર્મદા કેનાલ સફાઈ કામગીરીમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકો અને વકીલો ઉતર્યા પ્રતીક ઉપવાસ પર

0
106
Surendranagar Canal Scam
Surendranagar Canal Scam

Surendranagar Canal Scam: સુરેન્દ્રનગર જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા કેનાલની સફાઈ કામગીરી સામે સ્થાનિક જાગૃત નાગરિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ધોળીધજા ડેમ તરફ જતી મુખ્ય કેનાલની સફાઈના નામે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે વકીલ પ્રવિણસિંહ અને તેમની ટીમ દ્વારા નર્મદા વિભાગ સામે પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે સુરેન્દ્રનગરની જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાનો રોષ સ્થાનિકોમાં ફાટી નીકળ્યો છે.

Surendranagar Canal Scam: એક મહિનો પાણી બંધ રાખ્યું, છતાં કેનાલમાં કચરો યથાવત!

Surendranagar Canal Scam

સ્થાનિકો અને આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર, કેનાલની યોગ્ય સફાઈ થઈ શકે તે માટે તંત્ર દ્વારા આશરે એક મહિના સુધી પાણીનો પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. જનતાએ પાણીની તકલીફ વેઠીને પણ સહકાર આપ્યો જેથી ભવિષ્યમાં શુદ્ધ પાણી મળી શકે. પરંતુ, પાણી છોડવામાં આવ્યા બાદ જે દ્રશ્યો સામે આવ્યા તેણે તંત્રની પોલ ખોલી દીધી છે. એક મહિનો વીતી ગયો હોવા છતાં કેનાલમાં કચરો, પ્લાસ્ટિક અને ઝાડ-પાનની વનસ્પતિઓ જેમની તેમ જ યથાવત જોવા મળી રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સફાઈ માત્ર કાગળ પર જ થઈ છે અથવા તો કામમાં વેઠ ઉતારવામાં આવી છે.

Surendranagar Canal Scam: દૂષિત પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ

Surendranagar Canal Scam

સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં આ જ કેનાલ મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. જાગૃત નાગરિકોની ફરિયાદ છે કે હાલમાં લોકોને દૂષિત અને યોગ્ય રીતે ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણીમાંથી અસહ્ય દુર્ગંધ અને કચરો આવતો હોવાથી સ્થાનિક રહીશોના આરોગ્ય પર મોટું જોખમ ઊભું થયું છે. ચોમાસાની શરૂઆત પહેલા જ જો આ પ્રકારનું દૂષિત પાણી અપાશે, તો સમગ્ર પંથકમાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Surendranagar Canal Scam: ‘ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન થશે’

Surendranagar Canal Scam

આ ભ્રષ્ટાચાર અને જનતાના નિકંદન સામે વકીલ પ્રવિણસિંહ અને તેમની ટીમે કમર કસી છે. તેમણે નર્મદા વિભાગની કચેરી સામે જ પ્રતીક ઉપવાસના મંડપ નાખીને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. ઉપવાસી છાવણીમાંથી તેમણે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે:

કોન્ટ્રાક્ટર અને નર્મદા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓએ ભેગા મળીને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે અને જનતાના મોંમાં ઝેર રેડવાનું કામ કર્યું છે. જો આ મામલે તાત્કાલિક તપાસ કમિટી નીમીને કસૂરવારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે અને કેનાલની ફરીથી યોગ્ય સફાઈ નહીં થાય, તો આગામી દિવસોમાં સમગ્ર સુરેન્દ્રનગરની જનતાને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.”

હાલમાં વકીલો અને જાગૃત નાગરિકોના આ પ્રતીક ઉપવાસે સુરેન્દ્રનગરના રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરત બ્રેકિંગ; અરેઠનાના કરંજ ટોલ નાકા પર ફરી જામ્યો વિવાદ, ૫ કિમીના દાયરામાં મુક્તિ ન મળતાં ૧૨ જૂને ઉગ્ર આંદોલનની ચીમકી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે