Sunita Kejriwal  : અરવિંદ કેજરીવાલની પત્નીએ ફરીવાર યોજી પત્રકાર પરિષદ, કેજરીવાલને આશીર્વાદ આપવા જાહેર કર્યો વોટ્સએપ નંબર  

0
80
Sunita Kejriwal
Sunita Kejriwal

Sunita Kejriwal  : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ફરી એકવાર મીડિયાને સંબોધન કર્યું હતું. સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીને લઈને એક નવું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનું નામ ‘કેજરીવાલ આશીર્વાદ કેમ્પ’ છે. આ માટે તેમણે વોટ્સએપ નંબર 82973 24624 પણ જારી કર્યો છે.

Sunita Kejriwal  :  કેજરીવાલને કોર્ટમાંથી રાહત મળી નથી

Sunita Kejriwal


અરવિંદ કેજરીવાલને ગુરુવારે રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે EDના રિમાન્ડ ચાર દિવસ માટે લંબાવ્યા હતા. સુનાવણી દરમિયાન, રિમાન્ડ વધારવાની માંગ કરતી વખતે, તપાસ એજન્સીના વકીલે કહ્યું કે, ‘મુખ્યમંત્રી તપાસમાં સહકાર આપી રહ્યા નથી. આ કેસ સાથે જોડાયેલા કેટલાક વધુ લોકો સાથે સીએમનો સામનો કરાવવાનો છે.’ મુખ્યમંત્રીએ પોતાનો પક્ષ રજૂ કર્યો અને કહ્યું કે, ‘આબકારી નીતિની રચના દરમિયાન કોઈ કૌભાંડ થયું નથી. એવો પણ આરોપ છે કે EDનો ઉદ્દેશ્ય AAP ને નષ્ટ કરવાનો છે. EDનો હેતુ તેમને ફસાવવાનો હતો. તેમ છતાં તેની સામે કોઈ પુરાવા નથી. EDના રિમાન્ડનો વિરોધ નથી. તે ઇચ્છે તેટલા દિવસો સુધી તેમને કસ્ટડીમાં રાખી શકે છે.’

Sunita Kejriwal  :  કેજરીવાલે પુરતી માહિતી આપી નથી

Sunita Kejriwal


ASG એસવી રાજુએ ED માટે હાજર થઈને કોર્ટ પાસે સાત દિવસની કસ્ટડી માંગી અને કહ્યું કે, તેઓએ હજુ સુધી તેમના એકાઉન્ટના પાસવર્ડ શેર કર્યા નથી. આવી સ્થિતિમાં ED પાસે ડિજિટલ ડેટા નથી. મુખ્યમંત્રીએ તેમના આવકવેરા રિટર્ન સંબંધિત દસ્તાવેજો પણ આપ્યા નથી. આ કૌભાંડમાં જે પણ પૈસા આવ્યા છે તે ગોવાની ચૂંટણીમાં વાપરવામાં આવ્યા છે. એજન્સી AAPના ગોવાના વધુ ચાર ઉમેદવારોના નિવેદનો રેકોર્ડ કરી રહી છે.’

Sunita Kejriwal  : રિમાન્ડમાં વધારો કરવામાં આવ્યો

Sunita Kejriwal


બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો આપતાં રિમાન્ડની મુદત 1 એપ્રિલ સુધી લંબાવી છે. EDના રિમાન્ડ સવારે 11:30 વાગ્યા સુધી રહેશે. આ પછી ED કેજરીવાલને કોર્ટમાં રજૂ કરશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો