Strengthening Ties: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત શ્રીલંકાના શાસક પક્ષ ‘જનતા વિમુખ્તી પેરામુના’ (JVP) ના જનરલ સેક્રેટરી શ્રી ટિલ્વિન સિલ્વા અને તેમના પ્રતિનિધિ મંડળે લીધી હતી. આ બેઠકમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ ઔદ્યોગિક અને સાંસ્કૃતિક ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

Strengthening Ties: વાઇબ્રન્ટ સમિટ 2027માં જોડાવા આમંત્રણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં શ્રીલંકાને ‘પાર્ટનર કન્ટ્રી’ તરીકે જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત એક ‘પોલીસી ડ્રિવન સ્ટેટ’ છે અને તેની વિવિધ ક્ષેત્રોની નીતિઓનો લાભ શ્રીલંકા પોતાના વિકાસ માટે લઈ શકે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહકાર આપશે.

Strengthening Ties: સહકાર અને ડેરી ક્ષેત્રમાં રસ
શ્રીલંકન પ્રતિનિધિ મંડળે ગુજરાતની પ્રગતિની પ્રશંસા કરી હતી. શ્રી ટિલ્વિન સિલ્વાએ ખાસ કરીને ‘અમૂલ’ની મુલાકાતનો ઉલ્લેખ કરી સહકાર ક્ષેત્રમાં ગુજરાતના એક્સપર્ટિઝ અને નોલેજ શેરિંગમાં ઊંડો રસ દાખવ્યો હતો. તેમણે જરૂરિયાતના સમયે ભારત દ્વારા કરવામાં આવેલી મદદ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં સહયોગ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

Strengthening Ties: બેઠકના મુખ્ય મુદ્દાઓ:
- બુદ્ધના અવશેષો: શ્રીલંકાના કોલંબોમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના પ્રદર્શન માટે ગુજરાતના સહયોગ બદલ પ્રતિનિધિ મંડળે આભાર માન્યો હતો.
- પ્રવાસન: વધુને વધુ ગુજરાતી પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાતે જાય તે દિશામાં આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
- ઔદ્યોગિક ભાગીદારી: શ્રીલંકાએ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાઓ અને નોલેજ શેરિંગ મોડલને અપનાવવાની ઉત્સુકતા દર્શાવી હતી.

ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતથી ભારત-શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા વધુ મહત્વની બની રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




