Home Dharma Sanwariya Seth Temple:10 મિનિટના દર્શન, કરોડોનું દાન સાંવરિયા શેઠના ભંડારે મેવાડમાં મચાવી...

Sanwariya Seth Temple:10 મિનિટના દર્શન, કરોડોનું દાન સાંવરિયા શેઠના ભંડારે મેવાડમાં મચાવી ધુમ

0
620
Sanwariya Seth
Sanwariya Seth

Sanwariya Seth Temple:ચિત્તોડગઢ (મેવાડ) સ્થિત શ્રી કૃષ્ણધામ સાંવરિયા શેઠજી મંદિરના ભંડારે આ વર્ષે તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર ચાર રાઉન્ડની ગણતરીમાં 36 કરોડ 13 લાખ 60 હજાર રૂપિયાનું દાન મળ્યું છે. ચેક, મનીઓર્ડર અને ઓનલાઈન દાનની ગણતરી હજુ બાકી હોવાથી કુલ રકમ 40 કરોડ પાર જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Sanwariya Seth Temple

Sanwariya Seth Temple:ફક્ત ચાર રાઉન્ડમાં જ રેકોર્ડબ્રેક દાન

  • 1લો રાઉન્ડ (19 નવેમ્બર) – 12.35 કરોડ
  • 2જો રાઉન્ડ (21 નવેમ્બર) – 8.54 કરોડ
  • 3જો રાઉન્ડ (24 નવેમ્બર) – 7.08 કરોડ
  • 4થો રાઉન્ડ (25 નવેમ્બર) – 8.15 કરોડ

આ ચારેય રાઉન્ડનો કુલ 36.13 કરોડ થાય છે, જે ગયા વર્ષના બે મહિનાના કુલ 34.91 કરોડથી પણ વધુ છે.

આ વર્ષે ભંડાર બે મહિના પછી ખોલાયો

Sanwariya Seth Temple

દિવાળીના દિવસોમાં ચઢાવો વધતા હોય છે. પરંપરા અનુસાર ચૌદશના દિવસે ભંડાર ખોલવામાં આવતો હોય છે, પણ આ વર્ષે તે બે મહિના પછી ખોલાયો હોવાથી દાનમાં વધારો નોંધાયો છે.

મૂર્તિ પર ભૃગુ ઋષિના ચરણચિહ્નની માન્યતા

મંદિરની વિશેષતા એવી છે કે અહીંની એક મૂર્તિના છાતી પર ચરણચિહ્ન છે. માન્યતા મુજબ એકવાર યજ્ઞના ફળ અંગે નિર્ણય કરવા ભૃગુ ઋષિ ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા. વિષ્ણુજી નિદ્રામાન દેખાતા હોવાથી ઋષિએ ક્રોધમાં છાતી પર લાત મારી. વિષ્ણુએ નમ્રતાથી ક્ષમા માંગતા તેમનાં પગ પકડી લીધા, જેને જોઈ ઋષિ પ્રસન્ન થયા અને યજ્ઞનું ફળ તેમને સમર્પિત કર્યું. આ ચરણચિહ્નને આજે પણ પ્રામાણિક ચિહ્ન માનવામાં આવે છે.

ફક્ત 10 મિનિટ દર્શન

આ ચરણચિહ્નના દર્શન માટે રોજ સવારે 4.50 થી 5.00 વાગ્યા સુધીનો સમય નક્કી છે. બાદમાં તેને વસ્ત્રોથી ઢાંકી દેવામાં આવે છે. દેશ-દુનિયામાં ક્યાંય આવું ચરણદર્શન ઉપલબ્ધ નથી.

Sanwariya Seth Temple

Sanwariya Seth Temple:મંદિરનો ઈતિહાસ અને પુનઃનિર્માણ

મંદિરનું વર્તમાન માળખું લગભગ 3000 ચોરસ ફૂટ વિસ્તારમાં છે. રાજા મદન સિંહ ભીંડરે પૂરા ભગતની વિનંતિ પર તેનું જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. માન્યતા છે કે બેટ દ્વારકાની યાત્રા દરમિયાન હોડી સમુદ્રમાં ફસાઈ ગઈ ત્યારે ” પૂરા ભગત “ની જયકારથી હોડી બચી હતી. આ વાતથી પ્રભાવિત થઈ રાજાએ ભાદસોડા ગામના પૂરા ભગતની ઈચ્છા પ્રમાણે મંદિરનો વિકાસ કરાવ્યો.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

T20 world cup 2026 નું શિડ્યુલ જાહેર , અમદાવાદમાં રમાશે ફાઇનલ , ભારત –પાકની મેચ શ્રીલંકામાં રમાશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે