Sabarkantha: સવગઢ ગામે મકાનનો સ્લેબ ધરાશાયી, 2 શ્રમિકોના મોત

0
224
Sabarkantha: સવગઢ ગામે મકાનનો સ્લેબ ધરાશાયી, 2 શ્રમિકોના મોત
Sabarkantha: સવગઢ ગામે મકાનનો સ્લેબ ધરાશાયી, 2 શ્રમિકોના મોત

Sabarkantha: હિંમતનગર શહેર નજીક આવેલ સવગઢ ગામે મોટી દુર્ઘટના બની છે. ગામમાં ચાલી રહેલ મકાનના કામ દરમિયાન મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં બે શ્રમિકો દટાયા હતા. બંને શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા છે.

Sabarkantha: સવગઢ ગામે મકાનનો સ્લેબ ધરાશાયી

હિંમતનગરના પાણપુર ગામે તળાવ નજીક રહીયાન સોસાયટીમાં હિફજુરભાઈ અબ્દુલભાઈ રેવાસિયાનું નવીન મકાન બની રહ્યું છે, જ્યાં રવિવારે સાંજના સમયે મકાનના એલીવેશન માટે પરબડાના રાજુભાઈ ભિખાભાઈ પરમાર અને સંજયભાઈ સુથાર સેન્ટીંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન એલીવેશન માટે અંદાજે 12 ફૂટ કરતા લાંબુ RCC બોક્ષ બનાવેલ જે અચાનક ધાબાથી છૂટું પડીને આગળની તરફ કામ કરતા શ્રમિકો પર પડતાં બંને શ્રમિક દટાયા હતા. જેને લઈને બુમાબુમ થઇ ગઈ હતી. ઘટનાને લઈને તાત્કાલિક હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો