RBI Guidelines : આપ બેંક એકાઉન્ટ ધરાવો છે ? અને શું આપે 1 વર્ષથી કોઈજ લેવડદેવડ કરી નથી ? તો આ સમાચાર ખાસ વાંચી લો. રિઝર્વ બેંકે જે ખાતામાં એક વર્ષથી વધુ સમય સુધી ગ્રાહકો તરફથી કોઇ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા ન હોય એવા બેંક એકાઉન્ટની વર્ષમાં એકવાર સમીક્ષા હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.
RBI Guidelines : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકો દ્વારા એકાઉન્ટ અને ડિપોઝિટ્સને નિષ્ક્રિય એકાઉન્ટ અને અનક્લેમ્ડ ડિપોઝિટ તરીકે વર્ગીકૃત કરવાની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ ખાતાધારકો જે બેંક બ્રાન્ચમાં તેમનું એકાઉન્ટ છે તે ઉપરાંતની નોન હોમ બ્રાન્ચોમાં તમારા નો યોર કસ્ટમર (કેવાયસી) ડોક્યુમેન્ટ નવેસરથી સબમિટ કરીને તેમના નિષ્ક્રિય એકાઉન્ટ કે અનક્લેમ્ડ ડિપોઝિટ્સને ફરીથી સક્રિય કરી શકે છે.

RBI Guidelines : નિષ્ક્રિય એકાઉન્ટ શું છે? (What is an inoperative account?)
જે બેંક એકાઉન્ટમાં બે વર્ષ કરતા વધારે સમયથી ખાતાધારક તરફથી કોઇ જમા- ઉપાડ નથી થતુ તેવા ખાતાને નિષ્ક્રિય એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
ગ્રાહક પ્રેરિત ટ્રાન્ઝેક્શન એ બેંક અથવા થર્ડ પાર્ટી તરફથી ખાતાધારક દ્વારા શરૂ કરવામાં આવેલ અથવા તેમના કહેવા પર કરવામાં આવેલ નાણાકીય વ્યવહાર અથવા બિન-નાણાકીય વ્યવહાર, અથવા ફિઝિકલ મોડ અથવા ડિજિટલ રૂટ મારફતે જેમ કે ઇન્ટરનેટ બેંકિંગ અથવા બેંકની મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન ફેસ – ટુ – ફેસ કરવામાં આવેલ કેવાયસી (નો યોર કસ્ટમર) અપડેટ હોઈ શકે છે. પ્રાથમિક અંદાજ મુજબ નિષ્ક્રિય એકાઉન્ટમાં લગભગ 1 થી 1.30 લાખ કરોડ રૂપિયા જમા હોવાનો અંદાજ છે.

અનક્લેમ્ડ ડિપોઝિટ શું છે? (What are unclaimed deposits?)
બચત/ચાલુ ખાતામાં બેલેન્સ કે જે 10 વર્ષ માટે ઓપરેટ કરવામાં આવતા નથી અથવા પાકતી તારીખથી 10 વર્ષની અંદર ક્લેમ ન કરાયેલ ટર્મ ડિપોઝિટને ‘દાવા વગરની થાપણો’ એટલે કે અનક્લેમ્ડ ડિપોઝિટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
RBI Guidelines શું સુધારો કરાયો? (RBI revised guidelines)
આરબીઆઈએ જ્યાં એક વર્ષથી વધુ સમય માટે કોઈ ગ્રાહક પ્રેરિત વ્યવહારો થયા નથી તેવા કિસ્સામાં બેંકોને એવા નિષ્ક્રિય એકાઉન્ટના મામલે ઓછામાં ઓછું વાર્ષિક સમીક્ષા હાથ ધરવા જણાવ્યું છે. એવા કિસ્સાઓમાં જ્યાં ટર્મ ડિપોઝિટ રિન્યૂ કરવાનો કોઈ સ્પષ્ટ આદેશ નથી, જો ગ્રાહકોએ પાકતી મુદત પછી રકમ ઉપાડી ન હોય અથવા આવી થાપણોને દાવા વગરની બનતી અટકાવવા માટે તેમના બચત/કરંટ ખાતામાં ટ્રાન્સફર ન કરી હોય તો બેંકોએ આવા ખાતાઓની સમીક્ષા કરવાની જરૂર છે.
બેંકોએ ખાતા અથવા જમા ધારકોને પત્રો અથવા ઈમેઈલ અથવા એસએમએસ દ્વારા જાણ કરવી જોઈએ કે છેલ્લા એક વર્ષમાં તેમના ખાતામાં કોઈ કામગીરી થઈ નથી. એલર્ટ મેસેજમાં અચૂક ઉલ્લેખ હોવો જોઈએ કે જો આગામી એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો બેંક એકાઉન્ટ ‘નિષ્ક્રિય’ થઈ જશે અને આવા કિસ્સામાં એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરવા માટે ખાતાધારકે નવેસરથી કેવાયસી ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે.

RBI Guidelines : કયા બેંક એકાઉન્ટને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરી શકાતા નથી?
બેંકો કેન્દ્ર/રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓ અને શિષ્યવૃત્તિ મેળવનારા વિદ્યાર્થીઓ માટે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ ખાતાઓમાં ચેક અથવા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અથવા ઈલેક્ટ્રોનિક બેનિફિટ ટ્રાન્સફર અથવા શિષ્યવૃત્તિની રકમ જમા કરવામાં મુશ્કેલી વ્યક્ત કરી રહી છે કારણ કે તે બે વર્ષથી કાર્યરત ન હોવાને કારણે નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
આરબીઆઈએ કહ્યું કે બેંકોએ, ખાતું ખોલવાના હેતુના આધારે, આવા ખાતાઓને તેમના કોર બેંકિંગ સોલ્યુશન (સીબીએસ)માં અલગ કરવા જોઈએ, જેથી બે વર્ષથી વધુ સમયગાળા માટે ‘નિષ્ક્રિય’ ખાતાઓની શરતો તેમના બિન-ઓપરેશનને કારણે આ ખાતાઓ પર લાગુ ન થાય.
તમે આ પણ વાંચી શકો છો
Ship Hijacked in Somalia : ભારતીય નેવી પહોંચી ગઈ છે હાઇજેક જહાજ પાસે