Home Desh #RAJYASABHA : નમાજ પઢવાને લઈને આવ્યો મોટો નિર્ણય !

#RAJYASABHA : નમાજ પઢવાને લઈને આવ્યો મોટો નિર્ણય !

0
1058
NAMAZ
NAMAZ

#RAJYASABHA :   રાજ્યસભામાં નમાજને લઈને મોટો નિર્ણય લીધો છે. સંસદના સત્ર દરમિયાન દર શુક્રવારે તેના માટે મળતા અડધા કલાકના બ્રેકને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાના #RAJYASABHA સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ અંગે માહિતી આપી હતી, તેમણે તેની સાથે જોડાયેલા નિયમોમાં બદલાવના પણ નિર્દેશ આપ્યા છે.આ અંગે   DMKના મુસ્લિમ સાંસદ એમ. મોહમ્મદ અબ્દુલ્લાએ નાખુશી વ્યક્ત કરી હતી પરંતુ સભાપતિએ તેમને બેસવા જણાવી દીધું હતું.  

RAJYASABHA

રાજ્યસભામાં નમાજને લઈને રોજ વધારાનો ૩૦ મિનીટનો સમય મળતો હતો તે હવે સમાપ્ત થઇ ગયો છે, તેને હવે સભાપતિ નિયમોમાં બદલાવ કરીને સમાપ્ત કરી દીધો છે.  રાજ્યસભમાં ઝીરો ઓવર ચાલી રહ્યો હતો. સાંસદ પોતાના સવાલોના જવાબ પૂછી રહ્યા હતા. ત્યારે દ્રવિડ મુનેત્ર કઝાગમ (DMK) સાંસદ તિરુચિ શિવાએ હસ્તક્ષેપ કર્યો. રાજ્યસભાના #RAJYASABHA સભાપતિ જગદીપ ધનખડ પીઠાધિન હતા. તિરુચિ શિવાને સભાપતિએ બોલવાનો અવસર આપ્યો. તેમણે શુક્રવારના દિવસે રાજ્યસભાના કામકાજની સમયસીમાને લઈને સવાલ પૂછ્યો હતો. DMK સાંસદે કહ્યું કે, સામાન્ય રીતે શુક્રવારના દિવસે સભાના કામકાજ લંચ બ્રેક બાદ 02:30 વાગ્યાથી શરૂ થાય છે, એ બીજી વાત છે કે આજના સંશોધિત કાર્યક્રમ મુજબ, તે 02:00 વાગ્યાથી જ છે. આ બાબતે નિર્ણય ક્યારે લેવામાં આવ્યો? આ બાબતે સદનના સભ્ય જાણતા નથી,

આ બદલાવ કેમ થયો. તેના પર સભાપતિએ જવાબ આપ્યો કે આ બદલાવ આજથી નથી. આ બદલાવ તેઓ પહેલા જ કરી ચૂક્યા છે. તેમણે તેનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે લોકસભામાં કાર્યવાહી 02:00 વાગ્યાથી થાય છે. લોકસભા અને રાજ્યસભા બંને જ સંસદનો હિસ્સો છે. બંનેના કામના સમયમાં સમાનતા હોવી જોઈએ. આ જ કારણ છે કે તેમણે પહેલા જ આ બાબતે નિયમ બનાવી દીધા હતા.

TIRUCHI SHIVA

તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં #RAJYASABHA અત્યાર સુધી દરેક શુક્રવારે લંચ બ્રેક 01:00 વાગ્યાથી 02:30 વાગ્યા સુધી રહેતો હતો. તો લોકસભામાં લંચ બ્રેક 01:00 થી 02:00 વાગ્યા સુધી રહેતો હતો.

સભાપતિની આ વાતથી DMKના મુસ્લિમ સાંસદ એમ. મોહમ્મદ અબ્દુલ્લાએ નાખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, શુક્રવારે મુસ્લિમ સભ્ય નમાજ વાંચવા માટે જાય છે. તો આ દિવસે સદન શરૂ કરવા માટે 2:30 વાગ્યાનો સમય નક્કી છે. સભાપતિએ અબ્દુલ્લાની વાત સાંભળ્યા બાદ બેસવા કહ્યું. તેઓ પાછા બોલ્યા કે લોકસભા સાથે એકરૂપતા કરવા માટે એક વર્ષ અગાઉ જ સદનના સમયમાં બદલાવ કરી દેવામાં આવ્યો હતો. તેમાં કંઈ નવું નથી.

તમે આ પણ વાંચી શકો છો .

સેટેલાઇટ ફોટામાં મળ્યા પુરાવા, ચીને સરહદી વાટાઘાટો છતાં ભૂતાનમાં ચોકીઓ બનાવી, વસાવ્યા ગામડા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે