HomeDeshRajya Sabha Elections: રાજ્યસભા ચૂંટણી: 10 રાજ્યોની 37 બેઠકોમાંથી 26 પર ઉમેદવારો...

Rajya Sabha Elections: રાજ્યસભા ચૂંટણી: 10 રાજ્યોની 37 બેઠકોમાંથી 26 પર ઉમેદવારો બિનહરીફ, હવે 11 બેઠકો પર જામશે જંગ

Rajya Sabha Elections: દેશના 10 રાજ્યોમાં ખાલી પડેલી રાજ્યસભાની 37 બેઠકો માટેની ચૂંટણીના ચિત્રમાં મોટો વળાંક આવ્યો છે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ સાત રાજ્યોની 26 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ યાદીમાં શરદ પવાર, વિનોદ તાવડે અને અભિષેક મનુ સિંઘવી જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.

Rajya Sabha Elections: મોટા ગજાના નેતાઓ હવે સીધા સંસદમાં

Rajya Sabha Elections

ઘણા રાજ્યોમાં વિરોધ પક્ષોએ સંખ્યાબળના અભાવે ઉમેદવારો ઊભા ન રાખતા આ પ્રક્રિયા સરળ બની હતી. બિનહરીફ ચૂંટાયેલા મુખ્ય નેતાઓ:

  • મહારાષ્ટ્ર: શરદ પવાર (NCP-SP), રામદાસ આઠવલે, વિનોદ તાવડે (BJP) અને પાર્થ પવાર (NCP).
  • તેલંગાણા: પ્રખ્યાત ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવી (કોંગ્રેસ).
  • પશ્ચિમ બંગાળ: ટીએમસીના બાબુલ સુપ્રિયો અને પૂર્વ ડીજીપી રાજીવ કુમાર.
  • હિમાચલ પ્રદેશ: અનુરાગ શર્મા (કોંગ્રેસ).

Rajya Sabha Elections: રાજ્યવાર બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોની યાદી:

રાજ્યબેઠકોમુખ્ય વિજેતાઓ
મહારાષ્ટ્ર7શરદ પવાર, રામદાસ આઠવલે, વિનોદ તાવડે, પાર્થ પવાર વગેરે.
તમિલનાડુ6તિરુચી શિવા (DMK), એમ. થમ્બીદુરાઈ (AIADMK).
પશ્ચિમ બંગાળ5રાહુલ સિંહા (BJP), બાબુલ સુપ્રિયો (TMC), કોયલ મલિક (TMC).
આસામ3જોગેન મોહન (BJP), તેરોસ ગોવાલા (BJP), પ્રમોદ બોરો (UPPL).
તેલંગાણા2અભિષેક મનુ સિંઘવી, વેમ નરેન્દ્ર રેડ્ડી (કોંગ્રેસ).
છત્તીસગઢ2લક્ષ્મી વર્મા (BJP), ફૂલો દેવી નેતામ (કોંગ્રેસ).
હિમાચલ પ્રદેશ1અનુરાગ શર્મા (કોંગ્રેસ).

બિહાર, ઓડિશા અને હરિયાણામાં ખરાખરીનો જંગ

જ્યારે સાત રાજ્યોમાં ચિત્ર સ્પષ્ટ છે, ત્યારે 3 રાજ્યોની 11 બેઠકો પર હજુ પણ મુકાબલો બાકી છે. આ બેઠકો માટે 16 માર્ચના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

  • બિહાર (5 બેઠકો): મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નિતિન નવીનના રાજ્યસભા પ્રવેશની પ્રબળ શક્યતા છે.
  • ઓડિશા (4 બેઠકો): અહીં પણ વધારાના ઉમેદવારો મેદાનમાં હોવાથી રસાકસી થશે.
  • હરિયાણા (2 બેઠકો): બે બેઠકો માટે જંગ જામશે.

કુલ 40 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી હવે 14 ઉમેદવારો મેદાનમાં છે. આ 11 બેઠકો પર થનારું મતદાન આગામી સમયમાં સંસદના ઉપલા ગૃહમાં રાજકીય પક્ષોના સમીકરણો નક્કી કરશે.

આ પણ વાંચો :UNSCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: ‘રમઝાનમાં નિર્દોષો પર હુમલા એ પાકિસ્તાનનો અસલી ચહેરો’

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments