HomeDeshતહેવારોની સિઝનમાં રેલવે ચલાવશે 34 સ્પેશિયલ ટ્રેન

તહેવારોની સિઝનમાં રેલવે ચલાવશે 34 સ્પેશિયલ ટ્રેન

તહેવારોની સિઝનમાં રેલવે ચલાવશે 34 સ્પેશિયલ ટ્રેન

 મુસાફરોની સુવિધા માટે લેવાયો નિર્ણય

નવરાત્રીની સાથે જ દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. પહેલા દશેરા, પછી દિવાળી અને છઠ પૂજાના કારણે મોટી સંખ્યામાં લોકો શહેરોમાંથી ગામડાઓ અને બાદમાં ગામડાઓથી શહેરોમાં પરત ફરશે. આ તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને, રેલવે 34 વિશેષ ટ્રેનો દોડાવશે, જે 377 ટ્રિપ કરશે. આ ટ્રેનોમાં ઉપલબ્ધ સીટોની કુલ સંખ્યા 5980 હશે. જેમાંથી 1326 સીટો જનરલ ક્લાસમાં, 3328 સ્લીપરમાં અને 2513 સીટો એસી કોચમાં હશે.

આ ઉપરાંત તહેવારોની સિઝનમાં મુસાફરોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને 69 ટ્રેનોમાં 152 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે. આ એલર્ટમાં રેલ્વેએ મુસાફરોને ટીકીટને લઈને ટાઉટથી દૂર રહેવાની સલાહ આપી છે. આ સિવાય રેલવે ટ્રેક પર સતત નજર રાખવામાં આવશે અને તેની આસપાસ બનતી ઘટનાઓ પર પણ નજર રાખવામાં આવશે. દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રેલ્વેએ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે.

34 વધારાની ટ્રેનો દોડાવવાની જાહેરાત

ભારતીય રેલ્વેએ તહેવારોની સિઝનમાં મુસાફરોની સુવિધા માટે 34 વધારાની ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સ્પેશિયલ ટ્રેનોમાં 5980 સીટો હશે. ઉત્તર રેલવેના જીએમ શોભન ચૌધરીએ જણાવ્યું કે દુર્ગા પૂજા વિશેષ ટ્રેનો હવે ચલાવવામાં આવશે. આ પછી દિવાળી અને છઠ પૂજા માટે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશનો પર ભીડને કાબૂમાં રાખવા માટે પણ વિશેષ પગલાં લેવામાં આવશે.

છઠ પૂજાના કારણે મોટી સંખ્યામાં લોકો દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાંથી યુપી અને બિહારના શહેરોમાં જાય છે, તેથી આ રૂટની ટ્રેનો પર મુસાફરોની અવરજવરનું દબાણ ખાસ કરીને વધારે છે. આથી રેલવે આ રૂટ પર ખાસ ધ્યાન આપી રહી છે. દિલ્હીથી યુપી અને બિહાર જતી મોટાભાગની વિશેષ ટ્રેનો આનંદ બિહાર સ્ટેશનથી દોડશે.

તહેવારોની સિઝનમાં ટિકિટ માટે ધસારો રહેતો હોવાથી લોકો ટાઉટોનો શિકાર બને છે. પરંતુ, ઉત્તર રેલવેના જીએમએ મુસાફરોને ટાઉટથી સાવધ રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે મુસાફરોએ માન્ય કાઉન્ટર પરથી જ ટિકિટ ખરીદવી જોઈએ.

વાંચો અહીં આ અમેરિકન સાંસદે બાઈડન પર કર્યાં પ્રહાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments