માનહાનિ કેસઃરાહુલ ગાંધીએ 2 વર્ષની સજાને હાઈકોર્ટમાં પડકારી

0
145

રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં તેમને કરવામાં આવેલી 2 વર્ષની સજાને હાઈકોર્ટમાં પડકારી છે.મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધીને સુરત  કોર્ટમાંથી રાહત મળી ન હતી.રાહુલ ગાંધીને સુરતની નીચલી કોર્ટે  દ્વારા 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમાં સજા પર રોક લગાવવાની માગણી કરતી અરજી પણ કરી હતી જોકે કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી.ત્યારે રાહુલ ગાંધીએ હવે માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.માનહાનિ કેસમાં દોષી જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા ગુમાવી હતી