પંજાબ સરકારને ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી ,કેનેડામાં રચાયું છે ષડયંત્ર

1
50
પંજાબ સરકારને ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી ,
પંજાબ સરકારને ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી ,

પંજાબ સરકારને ગુપ્તચર એજન્સીઓએ એક રીપોર્ટ મોકલ્યો છે. જેમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે કેનેડાના આઠ શહેરોમાંથી એક મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે જેમાં ખાલિસ્તાની સંગઠન પંજાબમાં દિવાળી પર્વ પર અશાંતિ ફેલાવી શકે છે . ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટ પ્રમાણે કેનેડાના આઠ શહેરોમાં ખાલિસ્તાની સંગઠનના આગેવાનો ભારત વિરોધી મોટું ષડયંત્ર રચીને પંજાબ તેમજ આસપાસના રાજ્યોમાં તહેવારો સમયે નવાજુની કરીને પોતાનું પોત પ્રકાશી શકે છે. ભારતીય ગુપ્તચર એજન્સીએ આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરીને મળેલા ઈનપુટને આધારે પંજાબ સરકારને એલર્ટ કરી દીધું છે. સાથે જ ખાલિસ્તાની સમર્થકો અને તેમની નજીકના લોકો પર નજર રાખવા જણાવાયું છે.

પંજાબ સરકારને ચેતવણી આપતા ગુપ્તચર એજન્સીએ કહ્યું છેકે પંજાબમાં ખાલિસ્તાની અભિયાનને વેગ આપવા માટે કેનેડાના આઠ શહેરોમાં અનેક મિટિંગનું આયોજન ખાલિસ્તાની સમર્થક સંગઠન દ્વારા કરાયું અને ખલેલ કેવી રીતે પંજાબ અને આસપાસના રાજ્યોમાં પહોંચાડી શકાય તેની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત કેનેડાના જે શહેરમાં આ બેઠકો થઇ છે . તેમાં ખાલિસ્તાની આતંકવાદી નીજ્જ્રર ની હત્યા કરવામાં આવી હતી તે શહેરમાં પણ બેઠક મળી છે તેનો ઉલ્લેખ કરાયો છે. એજન્સીએ જણાવ્યું છેકે આતંકવાદીઓ અને ખાલીસ્તાની સમર્થકો આ શહેરમાં આવતા જતા હોય છે . કેટલાક ધાર્મિક સ્થળોની મેનેજમેન્ટ કમિટી પણ તેમને મદદ કરી રહી છે . ગુપ્તચર એજન્સીઓએ આવા ગુરુદ્વાર સંચાલકોની યાદી પણ તૈયાર કરી છે. ભારતમાં તેમના નજીકના અને સબંધીઓ પર નજર રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.

પંજાબ સરકારને ગુપ્તચર એજન્સીઓએ આ તમામ યાદી પણ આપી છે. એજન્સીઓએ એમ પણ કહ્યું છેકે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડોના ખાલિસ્તાની સંગઠનના સમર્થકોના પક્ષમાં નિવેદન આવ્યા બાદ ખાલિસ્તાની સંગઠનો દ્વારા ભારત વિરોધી પ્રચાર વધી રહ્યો છે. એજન્સીઓએ માહિતી આપી છેકે કેનેડામાં કેટલાક શહેરોમાં જનમત સંગ્રહ કરાવવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

પંજાબ સરકારને આ સિવાય રાજ્યમાં અમૃતપાલ સિંહની ધરપકડને લઈને કેનેડામાં ધર્મની આડમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેજ સમયે પંજાબ પોલીસની ઈન્ટેલીઝન્સવિંગના એક અધિકારીના જણાવ્યા મુજબ કેનેડાના આઠ શહેરોમાં અને ત્યાંથી મુસાફરી કરીને પંજાબમાં ખાલિસ્તાની સમર્થકો અને સબંધીઓના સંપર્કમાં પણ છે.

પંજાબ સરકારને ગુપ્તચર એજન્સીઓએ આપેલી ચેતવણીની વચ્ચે પંજાબ પોલીસ હાલ રાજ્યનો દિવાળી તહેવાર દરમિયાન માહોલ ન બગડે તે માટે સતત ચાંપતો બંદોબસ્ત અને નજર રાખી રહી છે. અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં આધુનિક શસ્ત્રો સહિત વિવાદિત સામગ્રી જપ્ત કરી રહી છે ત્યારે પંજાબ પોલીસને વધુ એક સફળતા મળી છે. મોહાલી પોલીસ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના 4 આતંકવાદીઓ પકડી પાડ્યા છે. આ સર્ચ દરમિયાન પોલીસને માહિતી મળી છે કે દિવાળીના તહેવાર ટાણે ટાર્ગેટ કરવાની ફિરાકમાં હતા. પાડોશી દેશ પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ સાથે સંપર્કમાં હતા. એસ.એ.એસ. નગરના પોલીસના સી.આઈએ સ્ટાફે એક મોડ્યુલર આતંકી ભાંડો ફોડ્યો . આ આતંકીઓને પાકિસ્તાનમાં રહેલા આતંકી હરવિંદરસિંહનો સાથ હતો. અને તેના સંગઠન બાબાર ખાલસા ઇન્ટરનેશનલના સાથે પણ સંબંધ ધરાવતા હતા.અને આજ કારણથી પાકિસ્તાનથી આતંકવાદીઓ સહિત શસ્ત્રો પણ સપ્લાય કરવામાં આવતો હતો . આ તમામ ચારેય આતંકવાદી દિવાળી સમયે માહોલ અસ્ત -વ્યસ્ત કરવાની ફિરાકમાં હતા. તેમની પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો મળી આવ્યા છે. ડી.જી.પી.- પંજાબ ગૌરવ યાદવે જણાવ્યું હતું. હાલ સઘન પૂછપરછ શરુ છે.

અહી ઉલ્લેખનીય છેકે ભારત – પાકિસ્તાન સીમા ઉપર પંજાબ પોલીસ અને બી.એસ.એફ. દ્વારા સંયુક્ત ઓપરેશનમાં અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમાં ભારત – પાકિસ્તાન સરહદ પર સેક્ટર અમરકોટ વિસ્તારમાં આવેલા તારાસિંહ ગામમાં પાસે એક સર્ચ ઓપરેશનમાં પંજાબ પોલીસ અને સીમા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.

1 COMMENT

Comments are closed.