PUNJAB BJP : પંજાબમાં ભારતીય જનતા પાર્ટીને આજે મોટો ઝટકો લાગ્યો જ્યારે ફિરોઝપુરથી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સુખપાલ સિંહ નન્નુ આમ આદમી પાર્ટીમાં જોડાયા. સુખપાલસિંહનું મુખ્યમંત્રી ભગવંત માને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
![PANJAB BJP](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/05/4-67-600x200.jpg)
PUNJAB BJP: પંજાબમાં લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ફિરોઝપુરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય સુખપાલ નન્નુ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ખાસ વાત એ છે કે સુખપાલ અગાઉ પણ ભાજપ છોડી ચૂક્યા છે. તેમણે ત્રણ કૃષિ કાયદા અંગેના આંદોલન દરમિયાન ભાજપ છોડી દીધું હતું.
PUNJAB BJP : સુખપાલ પાર્ટીથી નારાજ હતા
![PANJAB BJP](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/05/૩-77-600x291.jpg)
નન્નુ 2002 અને 2007માં ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ પહેલા તેમના પિતા ગિરધાર સિંહ આ જ બેઠક પરથી પાંચ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર રાણા ગુરમીત સિંહ સોઢી માટે આ કોઈ મોટા આંચકાથી ઓછું નથી. તેમને હજુ પણ પાર્ટી કેડરનું સમર્થન મળી રહ્યું નથી. પાર્ટીના નેતાઓ પણ રાણા ગુરમીતસિંહને ટિકિટ આપવામાં આવતા નારાજ હતા. નારાજ નેતાઓમાં સુખપાલ નન્નુનો પણ સમાવેશ થાય છે.
PUNJAB BJP : અગાઉ પણ ભાજપ છોડી ચૂક્યા છે
![PANJAB BJP](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/05/E9LzWi0VoAkAeJe-600x369.jpg)
PUNJAB BJP: રસપ્રદ વાત એ છે કે સુખપાલ નન્નુ એક વખત ભાજપ છોડી ચૂક્યા છે. તેમણે ત્રણ કૃષિ કાયદાઓ અંગેના આંદોલન દરમિયાન પાર્ટીને અલવિદા પણ કહી દીધું હતું પરંતુ 2022ની ચૂંટણીમાં તેઓ ભાજપમાં પાછા ફર્યા હતા. સુખપાલ નન્નુના પિતા ગિરધારા સિંહ પણ પાંચ વખત સરહદી વિસ્તારમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. પહેલા તેમના પિતા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો