ખંભાળિયામાં વીજ કાપ

0
30

ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં રવિવારે સવારે સાતથી સાંજે પાંચ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવા અંગેની જાહેરાત વીજતંત્ર દ્વારા કરવામાં આવી હતી. હાલ કાળઝાળ ગરમીમાં આટલો લાંબો સમય વીજકાપ ખાસ કરીને દર્દીઓ સહીત નગરજનો માટે ખુબ જ હાલાકીરૂપ હોય, આ મુદ્દે જિલ્લા ભાજપના પ્રમુખ મયુર ગઢવી દ્વારા રજૂઆત કરવામાં આવતા વીજપુરવઠો સાંજે પાંચના બદલે બપોરે એક વાગ્યે પૂર્વવત રીતે શરૂ કરવામાં આવશે  .