Home Desh Political Storm Erupts: પીએમ મોદી પર ખડગેનું વિવાદાસ્પદ નિવેદન ‘આતંકવાદી’ શબ્દના પ્રયોગથી...

Political Storm Erupts: પીએમ મોદી પર ખડગેનું વિવાદાસ્પદ નિવેદન ‘આતંકવાદી’ શબ્દના પ્રયોગથી ભાજપ લાલઘૂમ, ચૂંટણી પંચમાં ધા નાખી

0
270
Political Storm Erupts
Political Storm Erupts

Political Storm Erupts: લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક વિવાદાસ્પદ નિવેદને રાજકીય વંટોળ ઉભો કર્યો છે. તમિલનાડુમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલી ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટી આક્રમક મૂડમાં છે અને આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.

Political Storm Erupts

Political Storm Erupts: શું હતો સમગ્ર વિવાદ?

તમિલનાડુમાં AIADMK પર નિશાન સાધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, અન્નાદુરાઈનો ફોટો લગાવનારા AIADMK ના સભ્યો મોદીને કેવી રીતે ટેકો આપી શકે? તે આતંકવાદી છે. તેમની પાર્ટી સમાનતા અને ન્યાયમાં નથી માનતી.” આ નિવેદન વાયરલ થતા જ ભાજપે તેને વડાપ્રધાન પદની ગરિમા અને લોકશાહીનું અપમાન ગણાવ્યું હતું.

Political Storm Erupts: ભાજપના આકરા પ્રહાર: ‘માનસિક નાદારી’

  • યોગી આદિત્યનાથ (CM, UP): યુપીના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “વડાપ્રધાન વિશે આવી બિનસંસદીય ટિપ્પણી અક્ષમ્ય છે. આ નિવેદન કોંગ્રેસની હતાશા અને માનસિક નાદારી દર્શાવે છે. તે 1.45 અબજ દેશવાસીઓનું અપમાન છે.”
  • નીતિન નવીન (ભાજપ પ્રવક્તા): તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે પણ કોંગ્રેસ વિકાસના મુદ્દે ઘેરાય છે, ત્યારે મુદ્દા પરથી ધ્યાન હટાવવા આવા હલકા નિવેદનો કરવામાં આવે છે.
  • પ્રદીપ ભંડારી: તેમણે કોંગ્રેસને ‘ટુકડે-ટુકડે ગેંગ’ અને ‘અર્બન નક્સલ’ વિચારધારા ધરાવતી પાર્ટી ગણાવી હતી.

Political Storm Erupts: વિવાદ વધતા ખડગેએ આપી સ્પષ્ટતા

ભાજપના ભારે વિરોધ અને ચૂંટણી પંચમાં થયેલી ફરિયાદ બાદ મલ્લિકાર્જુન ખડગેએ બચાવ કરતા કહ્યું કે, મેં ક્યારેય એવું નથી કહ્યું કે પીએમ મોદી આતંકવાદી છે. મારા કહેવાનો અર્થ એ હતો કે મોદી હંમેશા વિપક્ષોને ધમકાવે છે અને ડરાવે છે. ED, IT અને CBI જેવી તપાસ એજન્સીઓ દ્વારા ડરનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે.”

આગામી કાર્યવાહી

ભાજપે આ મામલે ચૂંટણી પંચને કડક પગલાં લેવા વિનંતી કરી છે. ચૂંટણીના ટાણે આ પ્રકારની નિવેદનબાજીથી આવનારા દિવસોમાં બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તેજ બને તેવી શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઐશ્વર્યા રાયે દીકરી આરાધ્યાને આપી ખાસ સરપ્રાઇઝ એરપોર્ટ પર મમ્મીને જોઈ લાડલી વળગી પડી, સ્ટાર કિડના નવા લુકે જીત્યા દિલ!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે