HomeBreaking Newsપીએમ મોદીએ ટ્વીટર પર શેયર કરી ખાસ સેલ્ફી

પીએમ મોદીએ ટ્વીટર પર શેયર કરી ખાસ સેલ્ફી

ચેન્નાઈમાં દિવ્યાંગ જન સાથે વડાપ્રધાનની ખાસ સેલ્ફી

મણિકંદન જેવા કાર્યકર પ્રત્યે મને ગર્વ છે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ પર એક સેલ્ફી શેર કરી છે. જેમાં તેઓ એક દિવ્યાંગ વ્યક્તિ સાથે જોવા મળી રહ્યા છે. તેમણે તમિલનાડુમાં ચેન્નાઈની મુલાકાત દરમિયાન ભાજપના દિવ્યાંગ કાર્યકર સાથે આ ખાસ સેલ્ફી લીધી હતી. આ દિવ્યાંગ કાર્યકરનું નામ થિરુ એસ મણિકંદન છે. વડાપ્રધાને મણિકંદનના વખાણ પણ કર્યા છે. મણિકંદન ઈરોડના ભાજપના કાર્યકર અને તેઓ બૂથ પ્રમુખ પણ છે. પીએમ મોદીએ લખ્યું છે કે, “મણિકંદન એક દિવ્યાંગ વ્યક્તિ છે અને તે એક દુકાન ચલાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, તે પોતાની આવકનો એક ભાગ ભાજપને આપે છે. આવા કાર્યકર પર મને ગર્વ છે. મણિકંદનની જીવનયાત્રા અમારી પાર્ટી અને અમારી વિચારધારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રેરણા આપશે.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments