Home Desh Indian Navy: ભારતીય નૌકાદળ સામે ચાંચિયાઓ ઘૂંટણિયે, 23 પાકિસ્તાનીઓ સહિત ઈરાનના જહાજને...

Indian Navy: ભારતીય નૌકાદળ સામે ચાંચિયાઓ ઘૂંટણિયે, 23 પાકિસ્તાનીઓ સહિત ઈરાનના જહાજને બચાવ્યા

0
563
Indian Navy: ભારતીય નૌકાદળ સામે ચાંચિયાઓ ઘૂંટણિયે, 23 પાકિસ્તાનીઓ સહિત ઈરાનના જહાજને બચાવ્યા
Indian Navy: ભારતીય નૌકાદળ સામે ચાંચિયાઓ ઘૂંટણિયે, 23 પાકિસ્તાનીઓ સહિત ઈરાનના જહાજને બચાવ્યા

Indian Navy: ભારતીય નૌકાદળે ફરી એકવાર ચાંચિયાઓનો સામનો કર્યો અને ઈરાની માછીમારીના જહાજને બચાવી લીધું. આ સાથે નેવીએ 23 પાકિસ્તાની ક્રૂને પણ સુરક્ષિત રીતે બચાવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન 12 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું.

નેવીનું કહેવું છે કે અમારી નિષ્ણાત ટીમ આ વિસ્તારની તપાસ કરશે, જેથી આ વિસ્તાર માછીમારી અને અન્ય સામાન્ય પ્રવૃત્તિઓ માટે ફરીથી સુરક્ષિત બને. ગુરુવારે જ આ જહાજને ચાંચિયાઓએ કબજે કરી લીધું હતું, ત્યારબાદ નેવીએ તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું.

Indian Navy: ભારતીય નૌકાદળ સામે ચાંચિયાઓ ઘૂંટણિયે
Indian Navy: ભારતીય નૌકાદળ સામે ચાંચિયાઓ ઘૂંટણિયે

ચાંચિયાઓને આત્મસમર્પણ કરવાની ફરજ પડી

નૌકાદળ (Indian Navy) અનુસાર, INS સુમેધાએ શુક્રવારે વહેલી સવારે FV ‘અલ કંબર’ને અટકાવ્યું હતું અને બાદમાં મિસાઇલ ફ્રિગેટ INS ત્રિશુલ ઓપરેશનમાં જોડાયું હતું. 12 કલાકથી વધુ ચાલેલા ઓપરેશન બાદ ચાંચિયાઓને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી.

જહાજમાં નવ જેટલા લૂટારા સવાર હતા. ઘટના સમયે, ઈરાની જહાજ સોકોત્રાના દક્ષિણ પશ્ચિમમાં 90 nm દૂર હતું. ભારતીય નૌસેનાએ કહ્યું કે અમે દરિયાઈ સુરક્ષા માટે રાષ્ટ્રીયતાની પરવા કરતા નથી. અમે દરિયાઈ સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.

Indian Navy: ભારત મહાન શક્તિ બનવાના માર્ગે

એડમિરલ કુમારે કહ્યું કે ભારત એક મહાન શક્તિ બનવાના માર્ગ પર છે. મહાન શક્તિ સાથે મોટી જવાબદારી આવે છે. ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ, જાળવણી, પ્રોત્સાહન અને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. નૌકાદળની કામગીરી ક્યાં સુધી ચાલુ રહેશે તેના જવાબમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી હિંદ મહાસાગર સુરક્ષિત નહીં બને.

હિંદ મહાસાગરની સુરક્ષા માટે પ્રતિબદ્ધ

તાજેતરમાં 23 માર્ચે નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે કહ્યું હતું કે ભારતીય નૌકાદળ સુરક્ષિત હિંદ મહાસાગર ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા 100 દિવસમાં નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલા એન્ટી-પાયરસી ઓપરેશન્સને ટાંકીને તેમણે કહ્યું હતું કે અમે દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એન્ટી-પાયરસી, મિસાઈલ વિરોધી અને ડ્રોન વિરોધી ઓપરેશન હાથ ધર્યા છે. અમે ઓપરેશન સંકલ્પ દ્વારા 45 ભારતીયો અને 65 વિદેશી નાગરિકો સહિત 110 લોકોના જીવ બચાવ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે