Home Breaking News Boycott rupala : ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવાના મુડમાં નથી, સોશિયલ મીડિયામાં...

Boycott rupala : ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવાના મુડમાં નથી, સોશિયલ મીડિયામાં બાયકોટ રૂપાલા ટ્રેન્ડમાં  

0
1369
Boycott rupala
Boycott rupala

Boycott rupala : ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે, પરંતુ આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં એક મુદ્દાએ ભારે જોર પકડ્યું છે, રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદને ભારે ગરમી વાળો માહોલ બનાવી દીધો છે, જોકે ક્ષત્રિય સમાજ વિરૂધના નિવેદન પર રૂપાલા 2 – 2 વાર માફી માંગી ચુક્યા છે પરંતુ આ વખતે રાજપૂત સમાજ માંફી આપવાના મૂડમાં દેખાતો નથી.

Boycott rupala

Boycott rupala : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ ભાજપ રદ કરે તેવી માગ સાથે ‘હેઝટેગ બોયકોટ પરસોત્તમ રૂપાલા’નું સ્ટેટ્સ સોશિયલ મીડિયામાં લગાડવામાં આવી રહ્યું છે.

Boycott rupala

Boycott rupala:  છેલ્લા એક સપ્તાહથી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના એક નિવેદનથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ વખતે ક્ષત્રિય સમાજ સાથેના વિવાદમાં ડેમેજ કંટ્રોલ માટેની જવાબદારી ભાજપ દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આપવામાં આવી છે. જેને લઈ આજે ગોંડલ ખાતે સાંજના સમયે જયરાજસિંહ જાડેજાની હાજરીમાં ક્ષત્રિય રાજપૂત સમાજની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપાલાએ પોતાના નિવેદન પર ફરીવાર માફી માંગી હતી . જોકે શોશિયલ મીડિયામાં ચાલી રહેલા ટ્રેન્ડથી લાગી રહ્યું છે કે રૂપાલાને ક્ષત્રિય સમાજ માફી આપવાના મૂડમાં દેખાતો નથી.

Boycott rupala

Boycott rupala  : સોશિયલ મીડિયામાં જયરાજસિંહ વિરુદ્ધ પણ રોષ

Boycott rupala

Boycott rupala : અત્રે નોંધનીય છે કે જયરાજસિંહના ફાર્મ હાઉસ પર સમાધાન માટેની ક્ષત્રિય સમાજની બેઠક બોલવામાં આવી હતી પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક મેસેજ પણ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં લખ્યું છે કે, ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાને ત્યાં રૂપાલા બાબતે મિટિંગ રાખવામાં આવી છે. રાજકોટ સમાજ બોર્ડિંગ ખાતે થોડા સમય પહેલા જયરાજસિંહ દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે, મારે રાજપૂત સમાજની જરૂર નથી તો પછી એક ભાજપ પક્ષ માટે આપણા સમાજના આગેવાનો ત્યાં શું કામ સમાધાન માટે જાય. સમાજ જ્યારે સમજાવવા ગયો ત્યારે નથી સમજ્યા તો હવે સમાજ તેમનું શુ કામ સાંભળે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે