Home Main એસ જી હાઇવે ઉપર નબીરાએ કર્યો અકસ્માત, નવ ના લીધા જીવ

એસ જી હાઇવે ઉપર નબીરાએ કર્યો અકસ્માત, નવ ના લીધા જીવ

0
663

અમદાવાદના S G હાઈવે પર થયેલા અકસ્માતને જોવા ઉભેલા ટોળા પર કાર ફરી વળી, એક પોલીસકર્મી સહિત 9 લોકોના મોત થયા છે. અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક પોલીસકર્મી  અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માત બાદ એક શખ્સે ગાડીમાંથી આવીને ત્યાં હાજર ટોળાને બંદૂક બતાવી ડરાવ્યાં હોવાની વાતે પણ ચર્ચા જગાવી છે. આખરે કોણે બતાવી બંદૂક? શું અકસ્માત બાદ આરોપી પુત્રને બચાવવા ટોળા સામે બિલ્ડર બાપે કાઢી બંદૂક? આ એક મોટો સવાલ છે. 

વીઆર લાઇવની ટીમે જ્યારે આ ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે ત્યાં હાજર લોકોએ એવું પણ જણાવ્યું હતુંકે, રાત્રે જ્યારે આ અકસ્માત થયો ત્યારે અચાનાક એ ગાડી આવી હતી. જેમાંથી એક શખ્સે બંદૂક બતાવીને ટોળા સાથે દાદાગીરી કરી હતી. એટલું જ નહીં તે શખ્સ અકસ્માત કરનાર યુવકને ફટાફટ પોતાની કારમાં બેસાડીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છેકે, અકસ્માત બાદ તથ્યએ પોતાના ઘરે ફોન કર્યો હતો. ટોળા દ્વારા તેને માર મારવામાં આવી રહ્યો હોવાની વાત કરી હતી. 

જેથી અકસ્માતની ગણતરીની મિનિટોમાં જ કાર ચાલક નબીરાના તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પોતાની ગાડી લઈને પુત્રને બચાવવા આવ્યાં હતાં. ટોળાને જોઈને પુત્રને છોડાવવા માટે પ્રજ્ઞેશ પટેલે બંદૂક કાઢીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે, આ ઘટના અંગે જ્યારે અમારી ટીમે ખુદ આરોપીના પુત્ર પ્રજ્ઞેશ પટેલને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતુંકે, આ વાત સાવ ખોટી છે.

શું દિકરાને બચાવવા તમે લોકોને બંદૂક બતાવી ડરાવ્યાં હતા?
કાર ચાલક આરોપી તથ્યના પિતા અને જાણીતા બિલ્ડર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, એ બધી વાતો ખોટી બનાવેલી છે. મીડિયા આખી વાતને શું સ્વરૂપ આપે એ મને ખબર નથી. પણ જ્યારે મને અકસ્માતની જાણ થઈ ત્યારે તરત હું રાત્રે ત્યાં સ્થળ પર દોડી આવ્યો હતો. હું ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે ત્યાં 500 લોકોનું ટોળું હતું. પબ્લિક મારા છોકરાને મારી રહી હતી. તેથી મેં એને છોડાવ્યો. તથ્યને પણ ઈજા પહોંચી હતી. ત્યારે હું પબ્લિક વચ્ચેથી તેને લઈને હોસ્પિટલ લઈ ગયો. મેં કોઈને ઘન કે બંદૂક બતાવી નથી. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે