મૈતેઈ સમુદાયને ST કેટેગરીમાં સામેલ કરવાના વિરોધમાં મણિપુરમાં ઉગ્ર હિંસા થઇ છે. જેને લઈને ત્યાની સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે. લો એન્ડ ઓર્ડરને મેઈનટેન કરવા માટે મણિપુર સરકારે મોટો નિર્ણય લીધો છે. હિંસા બાદ ઘણા જિલ્લાઓ કર્ફ્યું લાદવામાં આવ્યો છે અને ૫ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત, સેના અને આસામ રાઈફલ્સને પણ તૈનાત કરવામાં આવી છે. તે વચ્ચે હવે સરકારે અહીં હિંસા પર કાબૂ મેળવવા શૂટ એટ સાઈટનો ઓર્ડર આપ્યો છે.

