Home Desh Manipur :  આસામ રાઈફલ્સના એક જવાને સાથી સાથીઓ પર કર્યું ફાયરિંગ, 6...

Manipur :  આસામ રાઈફલ્સના એક જવાને સાથી સાથીઓ પર કર્યું ફાયરિંગ, 6 જવાનો ઘાયલ  

0
837
Manipur
Manipur

Manipur : દક્ષિણ મણિપુરમાં આસામ રાઈફલ્સના એક જવાને તેના સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં 6 જવાનો ઘાયલ થયા છે. જ્યારે તેણે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના આસામ રાઈફલ્સ બટાલિયનના કેમ્પસમાં બની હતી, જ્યાં મણિપુરના ચુરાચંદપુરમાં રહેતા સૈનિકે પોતાના સાથી સૈનિકો પર બંદૂક વડે ઓપન ફાયરિંગ કરી દીધું હતું. 

Manipur

Manipur : મણિપુરમાં આસામ રાઇફલ્સ (AR) ના એક જવાને સાથી જવાનો પર ગોળીબાર કર્યો હતો અને ત્યાર બાદ પોતાને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં છ સૈનિકો ઘાયલ થયા છે અને તેમને ચુરાચંદપુરની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલો કરનાર જવાન મણીપુરના કુકી સમુદાયનો હોવાનું જાણવા મળ્યું છે, હુમલા બાદ તેણે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી.

Manipur : આ ઘટના બુધવારે સવારે બની હતી, રજા બાદ જવાન ચુરાચંદપુર સ્થિત પોતાના ઘરેથી પરત ફર્યો હતો. આ ઘટના ભારત-મ્યાનમાર બોર્ડર નજીક દક્ષિણ મણિપુરના આસામ રાઇફલ્સ કેમ્પમાં બની હતી. ઈજાગ્રસ્ત જવાનો ન તો મેઇતેઇ સમુદાયના છે ન તો મણિપુરના રહેવાસી છે. ગોળીબાર પાછળનો હેતુ હજુ અસ્પષ્ટ છે અને અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

Manipur

Manipur : અફવાથી દૂર રહેવા સલાહ


 
Manipur  : આસામ રાઈફલ્સે જણાવ્યું કે “મણિપુરમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષને ધ્યાનમાં રાખતા કોઈપણ સંભવિત અફવાઓને દૂર કરવા અને કોઈપણ અટકળોને ટાળવા માટે ઘટનાની વિગતો પારદર્શક રીતે શેર કરવી મહત્વપૂર્ણ છે. તમામ આસામ રાઇફલ્સ બટાલિયનમાં મણિપુરના વિવિધ સમુદાયોના લોકો સહિત દેશભરના જવાનો ફરજ બજાવે છે. સમાજના ધ્રુવીકરણ છતાં મણિપુરમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે તમામ કર્મચારીઓ સાથે રહીને કામ કરી રહ્યા છે.

Manipur


નોંધનીય છે કે ગયા વર્ષના મે મહિનાથી મણિપુરમાં મેઇતેઇ (જે ઇમ્ફાલ ખીણમાં બહુમતીમાં છે) અને કુકી-ઝો સમુદાયો (જે થોડા પહાડી જિલ્લાઓમાં વસે છે) વચ્ચે વંશીય હિંસા શરુ થઇ હતી. અત્યાર સુધી હિંસામાં 200 થી વધુ લોકોના મોત થયા છે અને લગભગ 50,000 લોકો વિસ્થાપિત થયા છે.

તમે આ પણ વાંચી શકો છો

Karpuri Thakur: કોણ હતા કર્પુરી ઠાકુર ? જાણો બિહારના પૂર્વ મુખ્યમંત્રીની સંપૂર્ણ કહાની

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે