MANGAL TRANSIT : સોમવારે ગ્રહોના સેનાપતિનું રાશિ પરિવર્તન, તમારી રાશિ પર શું અસર થશે?

0
161
MANGAL TRANSIT
MANGAL TRANSIT

MANGAL TRANSIT : મંગળ ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરતા તમામ રાશિઓ પર અસર

મંગળ ગ્રહને નવ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. મંગળ મંગળવારનો કારક ગ્રહ પણ છે. મંગળ 5 ફેબ્રુઆરીની રાત્રે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે ચુક્યું છે. મંગળ 15 માર્ચ સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. આ રાશિ-પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડશે. ત્યારે તમારા માટે મંગળની સ્થિતિ કેવી રહેશે, આવો જાણીએ…

મેષ રાશિના જાતકોને નોકરી અને વેપારમાં લાભ મળવાની શક્યતા છે. નવી નોકરી પણ મળી શકે છે.

વૃષભ રાશિના જાતકોનો સમય પક્ષમાં રહેશે. વધારે સાવધાની સાથે કામ કરશો તો સારું રહેશે.

મિથુન રાશિના જાતકોને ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

કર્ક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન દાખવવી. તમારી ખાનપાનની આદતોનું ધ્યાન રાખો.  અધિકારીઓની વાતને અવગણના કરવી ભારે પડી શકે છે.

સિંહ રાશિના જાતકોએ જોખમ લેવાનું ટાળવું. નાનું જોખમ પણ મોટું નુકસાન કરી શકે છે. વરિષ્ઠ લોકોની સલાહ લઈને આગળ વધવું સારું રહેશે.

કન્યા રાશિના જાતકો નાના-નાના ભાગોમાં મોટું કામ કરશે તો સારું રહેશે. પ્લાન વગર નવું કામ શરૂ ન કરવું.

તુલા રાશિના જાતકો માટે મંગળ ફાયદાકારક રહેશે. જો તમે કામ કરતી વખતે સજાગ રહેશો તો તમને મોટી સફળતા મળી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય મિશ્રિત રહેશે. તમને તમારા કામ પ્રમાણે લાભ મળશે.

ધન રાશિના જાતકોની આવક વધી શકે છે, પરંતુ વધારાના ખર્ચથી બચવું પડશે. નહિંતર કમાણી પછી પણ પૈસાની અછત થઈ શકે છે.

મકર રાશિના જાતકો માટે મંગળ સાવધાન રહેવાનો સંકેત આપી રહ્યો છે. નાની બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. તમારા આહાર અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

કુંભ રાશિના જાતકોને સખત મહેનત પછી જ સફળતા મળશે. ઘરમાં સુખદ વાતાવરણ રહેશે. જો તમે નવું કામ કરી રહ્યા છો તો વરિષ્ઠ લોકોની સલાહ લેવાથી ફાયદો થશે.

મીન રાશિના જાતકોના જૂનાં અટકેલાં કામ આગળ વધશે. ધીરજથી કામ લેશો તો સારું રહેશે. કોઈપણ મુશ્કેલીથી બચવા દલીલો ટાળવી હિતાવહ રહેશે.

MANGAL TRANSIT : મંગળ માટે તમે આ શુભ કાર્ય કરી શકો છો

જે લોકો માટે મંગળની સ્થિતિ સારી નથી તે લોકો જો દર મંગળવારે શિવલિંગ પર લાલ ફૂલ, લાલ ગુલાલ, લાલ મસૂર અને લાલ કપડું અર્પિત કરશે તો મુશ્કેલીથી બચી શકે છે. 

‘ઓમ અંગારકાય નમઃ’ શુભ મંત્રનો જાપ કરવો પણ હિતાવહ રહેશે. આ મંત્રનો ઓછામાં ઓછા 108 વાર જાપ કરવો. માતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવાથી સમય સારો રહેશે.

ગૌશાળામાં ગાયોની સંભાળ રાખવાથી અથવા તો ઘાસચારો, રોટલી અને પૈસાનું દાન કરવાથી ખરાબ સમયથી બચી શકો છો.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો