Home Main પીએમ મોદીને ઘેરવા હવે મમતા બેનર્જી મેદાને- જાણો શુ કરી છે જાહેરાત

પીએમ મોદીને ઘેરવા હવે મમતા બેનર્જી મેદાને- જાણો શુ કરી છે જાહેરાત

0
552

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, જો મોદી સરકાર ફરી સત્તામાં આવશે લોકતંત્રનો અંત આવશે. બીજી તરફ મમતાએ વિપક્ષના સંયુક્ત ગઠબંધનમાં સામેલ થવા અંગે કહ્યું કે, મને કોઈ પદ નથી જોઈતું. હું માત્ર એટલું ઈચ્છું છું કે, ભાજપના શાસનનો અંત આવે. મમતા બેનર્જી બંગાળમાં ટીએમસીના વાર્ષિક શહીદ કાર્યક્રમના અવસર પર બોલી રહ્યા હતા.

આ દરમિયાન મમતા બેનર્જીએ મણિપુરની ઘટના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. મમતાએ કહ્યું કે, ભાજપે બંગાળમાં અનેક ટીમો મોકલી પરંતુ મણિપુર માટે કોઈ પણ કેન્દ્રીય ટીમ મોકલવામાં ન આવી. હું પીએમ મોદીને પૂછવા માંગુ છું કે, મણિપુરની ઘટનાથી તમને થોડુ પણ દુ:ખ થયું કે ન થયું? તમે પશ્ચિમ બંગાળ પર આંગળી ચીંઢો છે પરંતુ શું તમને માતા-બહેનો પ્રત્યે પ્રેમ નથી. અંતે ક્યાં સુધી છોકરીઓને સળગાવવામાં આવતી રહેશે? ક્યાં સુધી ગરીબો અને લઘુમતીઓની હત્યા થતી રહેશે. 

બેટી બચાઓના સૂત્રને લઇને પણ કરાયા પ્રહાર

ભાજપ પર આકરા પ્રહાર કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તમે બેટી બચાવોનું સૂત્ર આપ્યુ હતું. આજે તમારું એ સૂત્ર ક્યાં છે? અમારી સંપૂર્ણ સહાનુભૂતિ મણિપુરના લોકો સાથે છે. મમતાએ વધુમાં કહ્યું કે આજે મણિપુર સળગી રહ્યું છે. આખો દેશ સળગી રહ્યો છે. બિલ્કીસ બાનો કેસમાં આરોપીઓ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા. મહિલા કુસ્તીબાજોના કેસમાં બ્રિજભૂષણ સિંહને પણ જામીન મળી ગયા છે. તેમણે કહ્યું કે આવનારી ચૂંટણીમાં દેશની મહિલાઓ તમને દેશના રાજકારણમાંથી જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે.

અભિષેક બેનર્જીએ ભાજપને ઘેરવા કર્યો આહ્વાવાન

આ દરમિયાન મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ 5 ઓગસ્ટે ભાજપના નેતાઓના ઘરનો ઘેરાવ કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, આ દિવસે અમે શાંતિપૂર્ણ રીતે ભાજપના તમામ નેતાઓના ઘરનો ઘેરાવો કરીશું. આ ઉપરાંત અભિષેકે 2 ઓક્ટોબરે દિલ્હી જવાનું પણ એલાન કર્યું છે. તેમણે કહ્યું કે અમારા નેતા મમતા બેનર્જીના આદેશ પર હું વધુ એક એલાન કરું છું. ભાજપ બંગાળનું ફંડ રોકી રહ્યું છે. તેના વિરોધમાં અમે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે દિલ્હી જઈશું.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે