Major Relief for Farmers: ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે ગેરકાયદે ‘ઇનામી જમીનો’ થશે કાયદેસર,

0
88
Gujarat Govt's

Major Relief for Farmers: રાજ્યના મહેસૂલ વિભાગે વર્ષો જૂની કાયદાકીય ગૂંચવણોનો અંત લાવતા ખેડૂતોના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. વર્ષોથી ‘ગેરકાયદે’ ગણાતી અને વિવાદોમાં ફસાયેલી ઇનામી જમીનોને હવે સરકાર દ્વારા નિયમબદ્ધ (Regularize) કરવામાં આવશે.

Major Relief for Farmers: શું છે સરકારનો નવો ઠરાવ?

Major Relief for Farmers:

રાજ્ય સરકારના નવા ઠરાવ મુજબ, જે લોકો પાસે ઇનામી જમીનોનો અનધિકૃત કબજો છે, તેઓ હવે જમીનની પ્રવર્તમાન જંત્રી કિંમતના માત્ર 20 ટકા રકમ ભરીને કાયદેસરનો કબજાહક્ક મેળવી શકશે. આ નિર્ણયથી જમીન ધારકો પરથી ‘ગેરકાયદે કબજેદાર’નો સિક્કો ભૂંસાઈ જશે.

Major Relief for Farmers: ખેડૂતોને કઈ રીતે થશે ફાયદો?

અત્યાર સુધી ઇનામી જમીનો કાયદેસર ન હોવાને કારણે જમીનધારકોને અનેક મુશ્કેલીઓ પડતી હતી, જેનો હવે અંત આવશે:

  • બેંક લોન: હવે ખેડૂતો આ જમીન પર સરળતાથી બેંક લોન મેળવી શકશે.
  • જમીન વેચાણ: જમીનની લે-વેચમાં આવતી કાયદાકીય અડચણો દૂર થશે.
  • વારસાઈ નોંધ: પેઢીનામું અને વારસાઈ નોંધણી જેવી પ્રક્રિયાઓ સરળ બનશે.
  • વહીવટી રાહત: સરકારી રેકોર્ડમાં નામ ચડતા વહીવટી પ્રશ્નો ઉકેલાશે.

કોને મળશે આ યોજનાનો લાભ?

સરકારે આ ઠરાવમાં સ્પષ્ટતા કરી છે કે નીચે મુજબના કિસ્સાઓમાં લાભ મળશે:

  1. બાકી કબજા કિંમત: જે જમીનોમાં અગાઉ રી-ગ્રાન્ટ (પુનઃ મંજૂરી) અપાઈ હતી, પરંતુ કબજા કિંમત ભરવાની બાકી હતી, તેઓ 20% જંત્રી ભરી શકશે.
  2. બાકી રી-ગ્રાન્ટ: જે જમીનો રી-ગ્રાન્ટને પાત્ર હતી પણ વહીવટી કારણોસર પ્રોસેસ અટકી પડી હતી, તેમને પણ આ નિર્ણયનો લાભ મળશે.

આ પણ વાંચો :Gujarat Govt News: ગુજરાત આંકડાકીય સેવામાં મોટા ફેરફાર: 25 અધિકારીઓને ક્લાસ-1માં બઢતી, 14ની સામુહિક બદલી