Home Main રથયાત્રામાં પ્રસાદ માટે ક્યાં બનાવાયો 40 ટન શીરો !

રથયાત્રામાં પ્રસાદ માટે ક્યાં બનાવાયો 40 ટન શીરો !

0
561

દેશભરમા એક તરફ રથયાત્રાની તૈયારી ચાલી રહી છે તો વડોદરામાં ભક્તો માટે ખાસ શુદ્ધ ધીનો 40 ટન શીરો તૈયાર કરાયો છે, જેની તૈયારી વડોદરા ઇસ્કોન મંદીરે કરી છે, આ 40 ટન શીરો બનાવવાની કવાયત ચાલી રહી છે, ભક્તો માટે ખાસ મહાપ્રસાદ તૈયાર કરવામાં માટે એક મહિનાથી મહેનત છે, 40 ટન શીરો બનાવવા માટે સામગ્રી પણ એટલ જ ભેગી કરાઇ છે,

દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. સાથે સાથે મંદિરના પાછળના ભાગમાં પ્રસાદની પણ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મંગળવારે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર નગરચર્યાએ નીકળશે. ત્યારે તેમના દર્શનાર્થે આવનારા તમામ ભક્તોને પ્રસાદી આપવા માટે ઈસ્કોન મંદિરના પાછળના ભાગે હાલ પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈસ્કોન મંદિર ખાતે 32 ટન શીરો બનાવવામાં આવી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોવાથી 32 ટન શીરાનો પ્રસાદ હાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે , રથયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર ખાતે સાંજના સમયે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે. ત્યારે ભગવાનની આ કામગીરીમાં યુનિવર્સિટીના ABVP ગ્રુપના કાર્યકરો જોડાયા છે. ABVP ગ્રુપના કાર્યકરો સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ સંસ્થાના લોકો આ સેવામાં જોડાયા છે. હાલ સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે.

આગેવાનોએ જણાવ્યુ  છે કે, ઈસ્કોન મંદિર માટે તૈયારી કરવી એકદમ સરળ વાત છે. સોમવારે અહીં 35થી 40 ટન જેટલો શીરો અહીં બનાવવામાં આવી રહ્યો છે. ખાલી રથયાત્રાની અંદર પ્રસાદી તરીકે લોકોમાં વહેંચવામાં આવશે. વડોદરા શહેરના વાસીઓને કાલે રથયાત્રામાં જોડાવા અને પ્રસાદ લેવા માટે સ્વાગત છે.

આ અંગે મંદિરના મહંત જણાવે છે કે, ભગવાન જગન્નાથની યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસાદ જે રથ પાછળ ચાલશે તે અહીં તૈયાર થઈ રહ્યો છે. આ પ્રસાદ શહેરવાસીઓ, જે લોકો રથ ખેંચશે, ભગવાનની યાચના કરશે તેમની માટે છે. આજે સાંજ સુધી પ્રસાદી તૈયાર કરવામાં આવશે. જે બાદ રાત્રિના સમયે ભંડારાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે