Home Sports Indian Cricket Team: ના હોય! વનડેમાંથી પણ કપાઈ શકે છે રોહિત શર્માનું...

Indian Cricket Team: ના હોય! વનડેમાંથી પણ કપાઈ શકે છે રોહિત શર્માનું પત્તું#RohitSharma #IndianCricket #ODICaptaincy

0
503

Indian Cricket Team: ODIમાંથી પણ કપાઈ શકે છે રોહિત શર્માનું પત્તું

ટેસ્ટ ક્રિકેટ અને T20માંથી નિવૃત્તિ લઈ ચૂકેલા હિટમેન રોહિત શર્મા હવે ફક્ત  વન ડે ઇન્ટરનેશનલ (ODI) ક્રિકેટમાં જ રમતા જોવા મળશે. તે હજુ પણ ODI ટીમનો કેપ્ટન છે. ભારતીય ટીમે તાજેતરમાં જ તેમની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, પરંતુ હવે એવા અહેવાલો વહેતા થયા છે કે તેમની પાસેથી ODI કેપ્ટનશીપ છીનવાઈ શકે છે. શુભમન ગિલને ટેસ્ટ પછી ODI ક્રિકેટમાં ભારતીય ટીમના કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જો કે,ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી આ અંગે પુષ્ટિ કરી નથી. ભારતીય ટીમ ઓગસ્ટમાં શ્રીલંકા સાથે ODI સીરિઝ રમાઈ શકે છે.

ઓગસ્ટમાં મોટો નિર્ણય લઈ શકાય

ઈંગ્લેન્ડ પ્રવાસ પછી ભારતીય ટીમ શ્રીલંકા સામે ODI સીરિઝ રમાઈ શકે છે. BCCI અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વચ્ચે આ સીરિઝ માટે વાતચીત શરૂ થઈ ગઈ છે. જો બધું બરાબર રહ્યું તો ભારતીય ટીમ અને શ્રીલંકા વચ્ચે ત્રણ ODI અને ત્રણ T20 મેચ રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ODI સીરિઝમાં વાપસી કરી શકે છે, જો કે, આ દરમિયાન ટીમનું નેતૃત્વ કોણ કરશે? બોર્ડ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.રોહિત શર્મા અને વિરાટ કોહલી ફક્ત ODI મેચોમાં જ રમતા જોવા મળશે. આ બંને ખેલાડીઓએ 2027માં ODI વર્લ્ડ કપ સુધી રમવાની ઈચ્છા દર્શાવી કરી છે, પરંતુ બધું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે.

Indian Cricket Team

Indian Cricket Team: રોહિતની કેપ્ટનશીપમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી

અહેવાલ અનુસાર, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્માએ ટીમ મેનેજમેન્ટને કહ્યું હતું કે, ‘જો મને ODI ટીમની કેપ્ટનશીપ નહીં મળે, તો હું ODIમાંથી પણ નિવૃત્તિ લઈશે.’ જો કે, BCCIના કોઈપણ અધિકારી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત ODI વર્લ્ડ કપ 2023ના ટાઇટલ મેચમાં જગ્યા બનાવી હતી, જ્યાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે ટીમ મેનેજમેન્ટ ટેસ્ટ પછી ODIમાં એક યુવાન ખેલાડીને કેપ્ટન બનાવવા માંગે છે. આ માટે તેમની નજર શુભમન ગિલ પર છે.

Indian Cricket Team
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Indian Cricket Team: ના હોય! વનડેમાંથી પણ કપાઈ શકે છે રોહિત શર્માનું પત્તું#RohitSharma #IndianCricket #ODICaptaincy
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે