કેનેડામાં હિન્દુ મંદિરને અપવિત્ર કરવાની ઘટના

0
43

કેનેડામાં હિન્દુ મંદિરને અપવિત્ર કરવાની ઘટના વારંવાર સામે આવી રહી છે ત્યારે ગત મોડી રાત્રે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા આ ઘટના ઓન્ટેરિયો પ્રાંતના વિન્ડસર શહેરમાં સ્થિત સ્વામિનારાયણ મંદિરની છે. જેમાં બીએપીએસ સંસ્થાના પ્રવક્તાએ આ ઘટનાની નિંદા કરી અને જણાવ્યું છે કે મંદિરની દીવાલો પર લખેલા ભારત વિરોધી સૂત્રો જોઈને મને ખૂબજ આશ્ચર્ય થાય છે જે ઘટના બની છે તેના પગલે બીએપીએસ સંસ્થા દ્વારા આ મામલે તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે.