Home Health આયુર્વેદમાં છે દરેક રોગનો ઉપચાર , થોડી જીવનશૈલી બદલો અને નિરોગી રહો

આયુર્વેદમાં છે દરેક રોગનો ઉપચાર , થોડી જીવનશૈલી બદલો અને નિરોગી રહો

0
756

આયુર્વેદમાં ત્રિફળા એક પ્રકારનો આયુર્વેદિક પાવડર છે અને આયુર્વેદમાં તેનો શ્રેષ્ઠ ઉપચાર તરીકે ઉપયોગ થાય છે. ત્રણ પ્રકારની ઔષધિઓ મિક્સ કરીને તૈયાર કરેલ ત્રિફળાનું નિયમિત સેવન કરવું જોઈએ. તમે થોડા દિવસોમાં ફરક જોઈ શકશો. આયુર્વેદમાં નિષ્ણાતોના મતે યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા ત્રિફળા પાવડર અથવા ચૂર્ણને પાણી સાથે ગળવું જોઈએ. સૂકા આદુના પાવડરના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે જે અથાણાં અથવા શાકભાજીનો સ્વાદ વધારે છે. આયુર્વેદમાં તેનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સૂકા આદુના પાવડરને હળદર સાથે ખાવાથી યુરિક એસિડની સમસ્યા ઓછી થાય છે. આ માટે રાત્રે સૂતા પહેલા પાણીમાં થોડી હળદર અને સૂકા આદુનો પાવડર મિક્સ કરીને પીવો વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ. આપણા આયુર્વેદ શાસ્ત્રમાં મારી મસાલા અને શાકભાજી જ સ્વસ્થ માટે મહત્વની દવા છે તે કહેવામાં આવ્યું છે .

AYURVED 1

તે પ્રમાણે આયુર્વેદમાં કહ્યું છેકે અપચો થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું જોઈએ ચોક્કસ રાહત મળશે. તે ઉપરાંત કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવો મટે છે. આયુર્વેદાચાર્યના કહેવા પ્રમાણે ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે. ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતરી જશે.

AAYURVED

તેમજ મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે. જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે. દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.સરસવનાં તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટિલા અને સુડોળ બને છે.જાંઘમાં દુઃખાવો થતો હોય ત્યારે પગનાં તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે.સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.રાત્રે કાંદાનું રાયતુ ખાવાથી ઊંઘ સારી આવે છે.

ચાલો જાણીએ કેટલાક આપણે જાતે જ કરી શકીએ તેવી મહત્વની ટિપ્સ

તાળી વગાડો, રોગ ભગાડો

પગના તળિયે ઘસો અને ચહેરાને ચમકદાર બનાવો

હથેળીઓ ઘસો, ઊર્જા જગાડો સ્વસ્થ રહો.

નખ ઘસો, વૃદ્ધાવસ્થા સામે લડો

ખુલ્લેઆમ હસો, શરીરની સુસ્તી દૂર કરો

દરરોજ સવારે ચાલો, આખો દિવસ ઉર્જાવાન રહો 10 મિનિટ દોડો,

રોગને દુર ભગાડો દરરોજ ડાંસ કરો, રોગોને તમારી પાસે આવવાનો ચાન્સ નહિ મળે સંગીત સાંભળો અને મન પ્રફુલિત થશે

ખાસ નોંધ–આયુર્વેદની માહિતી અલગ અલગ જાણકારો અને આયુર્વેદના પુસ્તકોને આધારે લેવામાં આવી છે. વી આર લાઇવ વાચક મિત્રોએ પોતાની સુઝબુજ અને વિવેક શક્તિથી આયુર્વેદના ઉપચાર , તેની યોગ્ય માત્રા તજજ્ઞ વૈદ્યની સલાહને આધારે કરવો તેવી વિનંતી કરે છે . અહી માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે