Gujarat Anti-Terror Probe: ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું મોટું કાવતરું રચતા ‘જૈશ-એ-મોહમ્મદ’ સંગઠનના વધુ પાંચ આતંકીઓને ગુજરાત ATSએ ઝડપી લીધા છે. આતંકીઓ પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી, ટાઈમર ડિવાઈસ અને જેહાદી સાહિત્ય મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

Gujarat Anti-Terror Probe: કઠવાડાની હોટલમાં રહેતો હતો આતંકી બિલાલ
પકડાયેલા પાંચ આતંકીઓ પૈકીનો એક બિલાલ શેરા છેલ્લા એક વર્ષથી અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલી ‘હોટલ દિવ્યા’માં છુપાઈને રહેતો હતો. ATSની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે:
- શંકાસ્પદ જીવનશૈલી: બિલાલ દિવસભર બહાર રહેતો અને માત્ર રાત્રે જ સૂવા માટે હોટલ પર આવતો હતો.
- કેશ પેમેન્ટ: પોતાની ઓળખ છુપાવવા માટે તે હોટલનું તમામ પેમેન્ટ ડિજિટલને બદલે રોકડ (Cash)માં જ કરતો હતો.
- CCTV ફૂટેજ: હોટલના CCTV ફૂટેજમાં બિલાલ તેના સાથી મિત્ર સાથે બહાર નીકળતો જોવા મળ્યો છે, જે તેના પરના શંકાને મજબૂત બનાવે છે.

Gujarat Anti-Terror Probe: ATSના ઓપરેશનની વિગતો
ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું કે, અગાઉ પકડાયેલા 8 આતંકીઓની પૂછપરછ દરમિયાન આ પાંચ નવા આતંકીઓના નામ ખુલ્યા હતા. ત્યારબાદ સિદ્ધપુર, વડગામ અને ભરૂચમાંથી આ પાંચેયને દબોચી લેવામાં આવ્યા હતા.

Gujarat Anti-Terror Probe: તપાસમાં સામે આવેલી ભયાનક વાતો:
- બોમ્બ બનાવવાની તાલીમ: આતંકીઓના મોબાઈલમાંથી બોમ્બ બનાવવાની PDF અને સાહિત્ય મળી આવ્યું છે. તેઓ પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર જેવી સામગ્રીનો ઉપયોગ કરીને ગન પાઉડર બનાવતા હતા.
- 8 વાર પરીક્ષણ: આરોપીઓએ છેલ્લા 3 વર્ષમાં અવાવરુ જગ્યાઓ પર કુલ 8 વખત બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ પણ કર્યું હતું, જેથી કોઈને ખબર ન પડે.
- પ્રો-જેહાદી માનસિકતા: આરોપીઓ જેહાદી સાહિત્ય વાંચીને પ્રભાવિત થયા હતા અને મસ્જિદોમાં લોકોને જેહાદમાં જોડાવા માટે દાવત (આમંત્રણ) આપતા હતા.
- પાકિસ્તાની કનેક્શન: આ તમામ આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના ઈશારે કામ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી મળી આવેલી પેન ડ્રાઈવમાં મસૂદ અઝહરના ભાષણો પણ મળી આવ્યા છે.

Gujarat Anti-Terror Probe: કોર્ટ દ્વારા 8 દિવસના રિમાન્ડ મંજૂર
ATS દ્વારા આ પાંચેય આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં ATS આતંકીઓના અન્ય સંપર્કો અને રથયાત્રા જેવી કોઈ સંવેદનશીલ ઘટનાઓ પાછળ તેમનો કોઈ ઈરાદો હતો કે કેમ, તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




