Government Employees: દેશભરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગ અંગે એકસરખા નિયમો બનાવવાની વિચારણા ચાલી રહી છે. વ્યક્તિગત અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સરકારી જવાબદારી વચ્ચે યોગ્ય મર્યાદા નક્કી કરવાના હેતુથી સરકાર દ્વારા નવી આચારસંહિતા અંગે વિચારણા કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
Government Employees: રીલ્સ અને વીડિયો માટે આવી શકે માર્ગદર્શિકા

પ્રસ્તાવિત આચારસંહિતા હેઠળ સરકારી કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવતી રીલ્સ, વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચોક્કસ મર્યાદાઓ નક્કી થઈ શકે છે. કર્મચારીઓએ પોતાની પોસ્ટ દ્વારા સરકારી હોદ્દાની ગરિમા અથવા વિભાગની કામગીરી પર અસર ન થાય તેની ખાસ કાળજી રાખવી પડી શકે છે.
Government Employees: સરકારી નીતિઓ અંગે મંતવ્ય પર પણ નિયંત્રણની શક્યતા
સોશિયલ મીડિયા પર સરકારી નીતિઓ, વિભાગીય કામગીરી અથવા અન્ય સંવેદનશીલ મુદ્દાઓ અંગે જાહેર મંતવ્યો રજૂ કરતી વખતે કર્મચારીઓ માટે નિયમો વધુ કડક બની શકે છે. ખાસ કરીને એવી માહિતી જાહેર ન થાય જેના કારણે સરકારી કામગીરી અથવા વિભાગીય વ્યવસ્થા પર અસર પડે તે અંગે ધ્યાન આપવામાં આવી શકે છે.
Government Employees: દેશભરમાં સમાન નિયમોની વિચારણા

હાલ વિવિધ સરકારી વિભાગો અને સેવાઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગને લગતા અલગ-અલગ નિયમો હોઈ શકે છે. આ સંદર્ભમાં દેશભરના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે સમાન આચારસંહિતા ઘડવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.
અંતિમ નિર્ણય બાદ જ સ્પષ્ટતા
હાલ આ નિયમો અંગે ચર્ચા અને વિચારણા ચાલી રહી છે. નવી આચારસંહિતાનું અંતિમ સ્વરૂપ શું હશે, કયા પ્રકારની પોસ્ટ પર પ્રતિબંધ અથવા નિયંત્રણ રહેશે અને તેનો અમલ ક્યારથી થશે તે સરકારના સત્તાવાર નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પાકિસ્તાન-ચીનની હરકતો પર અંતરિક્ષથી નજર: ભારતના ‘નોટી બોય’ની શું છે ખાસિયત?

