મક્તમપુર વિસ્તારમાં ગોળીબારની ઘટના

0
38

સૂત્રોના જણાવ્યા અનુસાર નર્સરીમાં કામ કરતા ૫૫ વર્ષીય રામ ઈશ્વર શાહ ઉપર અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કર્યું છે. ભરૂચમાં આવેલ મક્તમપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. નર્સરીમાં કામ કરતા વ્યક્તિ ઉપર અજાણ્યા શખ્શે અંધાધુંધ ફાયરિંગ કર્યું છે. હજુ સુધી આ ગોળીબાર પાછળનું કારણને હુમલાખોરો વિષે કોઈ માહિતી સામે આવી નથી. સવારે ૬.૪૫ વાગે તેઓ અવાવરું વિસ્તારમાં હાજતે ગયા હતા જ્યાં આ ઘટના બની હતી. રામ ઈશ્વર શાહને છાતી અને માથા ભાગે ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક તપાસ દરમ્યાન પોલીસને ઘટનાસ્થળથી ૪ બુલેટ મળી આવી છે.હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે