Home Main લીવરને ઓગાળી શકે તેવી વસ્તુઓમાંથી બનાવાતુ હતું નકલી પનીર, ગુજરાતના આ શહેરમાંથી...

લીવરને ઓગાળી શકે તેવી વસ્તુઓમાંથી બનાવાતુ હતું નકલી પનીર, ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયો મોટો જથ્થો

0
1064
નકલી પનીર
નકલી પનીર

 નકલી દૂધ અને ઘી બાદ હવે ભાવનગરમાંથી ઝડપાયું નકલી પનીર,,,ભેળસેળ યુક્ત પનીરનો જથ્થો જપ્ત કરીને SOGએ સ્થળ ઉપર જ નાશ કર્યો છે, ગુજરાતમાં ખાણીપીણીની નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે. જો તમે પણ પનીર ખાવાના શોખીન છો તો સાવધાન થઈ જજો, કારણ હવે ભાવનગર શહેરમાં પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે. ગુજરાતભરમાં હાલ દિવાળીનો પર્વ હોઈ આરોગ્ય વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે. નકલી દૂધ અને ઘી બાદ હવે ભાવનગરમાંથી નકલી પનીર ઝડપાયું છે. ભેળસેળ યુક્ત પનીરનો જથ્થો જપ્ત કરીને SOGએ સ્થળ ઉપર જ નાશ કર્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલા ગોરડ સ્મશાન નજીકથી ભેળસેળ યુક્ત પનીરનો જથ્થો ઝડપાયો છે. ઍસઓજી પોલીસને ડુપ્લીકેટ પનીર બનતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો, આ મામલે પોલીસે તપાસ કરતા સ્થળ પરથી દૂધ પાવડર, સાઇટ્રિક એસિડ, વેજિટેબલ ઓઇલ સહિતનો સામાન મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોગ્ય અધિકારી અને ફૂડ ઇન્સ્પેકટરને બોલાવી તપાસ હાથ ધરી હતી.

ભાવનગર મનપાના આરોગ્ય અધિકારી આર. કે. સિંહા અને ફૂડ અધિકારી એ સ્થળ પર પહોંચી તપાસ કરતા અહી ભેળસેળ યુક્ત પનીર બનતું હોવાનું જણાયું હતું. અહી પનીર બનાવવા સાઇટ્રિક એસિડ, વેજીટેબલ ઘી અને દૂધના પાવડરનો ઉપયોગ કરીને પનીર બનાવવામાં આવતું હોવાનું જણાતા નમૂના લીધા હતા. 

રસિક લાકડીયા તથા ભાવેશ જોબનપુત્રા આ કારખાનાની જગ્યા ભાડે રાખીને ભેળસેળયુક્ત પનીર બનાવવાનો કાળો કારોબાર કરતા હતા. આરોગ્ય વિભાગે સ્થળ ઉપરથી રસિકભાઈ પાસેથી તમામ વિગત મેળવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અહી પનીર બનાવવા માટેના સાધનો તેમજ ખાલી બેલર, વેજીટેબલ ઘીના ડબ્બા અને દૂધ પાવડર સહિતનો સામાન સીઝ કર્યો છે. હાલ તો મનપાના આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને આગળની તપાસ હાથ ધરી છે.

નકલી પનીર આ રીતે બને છે 
– નકલી પનીરમાં વેજિટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે
– પનીરમાં પામ ઓઇલ પણ ઉમેરવામાં આવે છે
– નકલી પનીરમાં ફેટનું ઊંચુ પ્રમાણ હોય છે
– નકલી પનીર આરોગ્ય માટે જોખમી સાબિત થાય છે
– બજારમાં મળતું નકલી પનીર મેદસ્વિતા વધારવામાં મોટો ભાગ ભજવે છે
– લાંબા ગાળે નકલી પનીર ગંભીર બીમારી નોતરે છે

અસલી પનીર આવું હોય છે 
– અસલી પનીર બનાવવામાં ગુણવત્તાયુક્ત દૂધનો ઉપયોગ કરવામાં આવે છે
– ગાય કે ભેંસના દૂધમાંથી આ પનીર બનાવવામાં આવતું હોય છે. 
– અસલી પનીર પ્રોટિનથી ભરપૂર હોય જેથી તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે
– અસલી પનીર આરોગ્ય બાદ રોગનો ભય રહેતો નથી

નકલી પનીર ખાવાથી આ બીમારી થાય છે
અખાદ્ય પદાર્થ ખાવાથી શરીરમાં ગંભીર પ્રકારની બીમારીઓ થવાની શક્યતાઓ છે. જેમાં ઝાડા, ઉલટી જેવી ગંભીર બીમારી થઇ શકે સાથે પેટના રોગનો પણ મોટો ભય રહેલો છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે