ગુજરાત વિદ્યાપીઠના 50 કર્મચારીઓને મકાન ખાલી કરવાની નોટીસ

0
65

નોટીસમાં એક મહિનાનો આપવામાં આવ્યો સમય

ગુજરાત વિદ્યાપીઠના કાર્યકારી કુલ સચિવ દ્વારા હંગામી ધોરણે અને કોન્ટ્રાકટ પર કામ કરતા વર્ગ 4 ના કર્મચારીઓને મકાન ખાલી કરવાની નોટીસ આપવામાં આવીછે.

મળતી માહિતી મુજબ આ તમામ કર્મચારીઓ વર્ષોથી કોન્ટ્રાકટ પર કામ કરતા હતા અને તેમનો કોન્ટ્રાકટ પૂર્ણ થઇ રહ્યો છે.

આ તમામ કર્મચારીઓને કેમ્પસમાં આવેલા જે તેમને ફાળવેલા હતા તેને ખાલી કરવાની નોટીસ આપી છે. ગુજરાત વિદ્યાપીઠના રજીસ્ટારભારત જોષીના જણાવ્યા અનુસાર આ કર્મચારીઓએ એક મહિનામાં મકાન ખાલી કરવાનું રહેશે. વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE વધુ સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ