Home Main ખરી દિવાળીએ ગરીબોનો મરો! ગુજરાતમાં રાશન આપતા 17 હજાર દુકાનદારો હડતાળ પર...

ખરી દિવાળીએ ગરીબોનો મરો! ગુજરાતમાં રાશન આપતા 17 હજાર દુકાનદારો હડતાળ પર ઉતર્યા

0
604
રેશનકાર્ડ
રેશનકાર્ડ

ગુજરાતના 17 હજાર રાશન સંચાલકોનું બુધવારથી અસહકારનું આંદોલન શરૂ થયું છે. સરકારે વચન ન પાળતાં વ્યાજબી ભાવના દુકાનદારો હડતાળ પર ઉતર્યાં છે. સરકાર સમક્ષ રહેલી પડતર માંગણીઓને મુદ્દે રાશન સંચાલકોએ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે.બુધવારથી ગુજરાતભરના 17 હજાર વાજબી ભાવના દુકાનદારો બેમુદતી હડતાળ પર ઉતર્યાં છે. સરકારે આપેલું વચન ન પાળતા આખરે દુકાનદારો એ રણશિંગુ ફૂક્યું છે. રાજ્યના વાજબી ભાવની દુકાનદારોના પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા આખરે દુકાનદારોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. સમસ્યા એ છે કે, દુકાનદારો ખરી દિવાળીએ જ આંદોલન પર ઉતર્યા છે. જેની સીધી અસર ગરીબોના રાશન પર પડશે. આ હડતાળથી દિવાળીમાં 72 લાખ કાર્ડધારકોને ખાંડ, તેલ, અનાજથી વંચિત રહેવુ પડશે. વાજબી ભાવની દુકાનદારો અને સરકાર વચ્ચેના ઝગડામાં ગરીબોનો મરો થશે. 

 રાશન કાર્ડના સંચાલકોએ સરકાર સામે અનેક માંગો કરી હતી. તેમનું કમિશન 20 હજાર કરવાની માંગ કરી હતી. રાજ્યના માત્ર ૫ હજાર રાશન સંચાલકોનું કમિશન 20 હજાર કરતાં વધારે છે. તો 12 હજાર જેટલા સંચાલકોનું  કમીંશન 20 હજારથી ઓછું છે. સરકારે ૩૦૦ થી ઓછા રેશનકાર્ડ ધરાવતી દુકાનોના સંચાલકોને ૨૦ હજાર કમિશન આપવાનું વચન આપ્યું હતું. 

ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, પૂર્વ મંત્રી નરેશ પટેલે 13000 નું કમિશન વધારી 20000 કરવા આદેશ કર્યા હતા. 14 ઓક્ટોબર 2022 એ સરકારે 20 હજાર કમિશન આપવા નિર્ણય કર્યો હતો. અનાજના કટ્ટા પર એક કિલો ઘટ મજરે આપવાની માંગ રાશન કાર્ડ સંચાલકોની છે. તેમજ બારકોડ રેશન કાર્ડ સીસ્ટમમાં અનેક ક્ષતીને સુધારવા માંગ કરાઈ છે. 
વારંવાર સર્વર ખોટકાવાની સમસ્યાથી સંચાલકો પરેશાન થયા છે. 

આજે સરકારે આપેલા વચનને 15 માસનો સમય વિત્યો હોવા છતાં હજી નિર્ણયનો કોઈ અમલ થયો નથી. 20 હજાર કમિશન ન મળતાં રાશન સંચાલકોનું અસહકારનું આંદોલન ફરી ઉઠ્યું છે. 
 
હડતાળને પગલે દિવાળીમાં 72 લાખ રાશન ધારકો રાશનથી વંચિત રહી શકે છે. દુકાનદાર અને સરકારના ઝઘડામાં સામાન્ય માણસોને તેલ, ખાંડ અને અનાજ નહિ મળે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે