Home State Gujarat ગાંધીનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

ગાંધીનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

0
458
ગાંધીનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે
ગાંધીનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

ગાંધીનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

૨૨મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો થશે પ્રારંભ 

ચારેય તાલુકામાં કુલ ત્રણ રથ ફરશે

ગાંધીનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થઈ ચૂક્યો છે. ગાંધીનગરમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ૨૨મી નવેમ્બર, ૨૦૨૩ના રોજથી પ્રારંભ થવાની છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના આયોજન સંદર્ભે ગાંધીનગર જિલ્લા પ્રભારી અને ભારત સરકારના નાયબ સચિવ શ્યામલાલ પુનિયાના અધ્યક્ષ સ્થાને અને કલેક્ટર હિતેષ કોયાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદન, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા સંકલ્પ યાત્રાની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત જિલ્લામાં ચારેય તાલુકામાં કુલ ત્રણ રથ ફરવાના છે. જયારે એક રથ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફરવાનો છે. ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં તા. ૨૨મી નવેમ્બરના રોજ કલોલ, ગાંધીનગર અને દહેગામ તાલુકામાં આ યાત્રાનો આરંભ થશે. ગ્રામ્ય કક્ષાએ આ રથ દરરોજ બે ગામોની મુલાકાત લેશે. તા. ૨૨મી નવેમ્બરના રોજ ગાંધીનગર તાલુકામાં અડાલજ અને જમીયતપુરા, કલોલ તાલુકામાં રકનપુર અને રણછોડપુરા તથા દહેગામ તાલુકામાં ઝાંક અને કડાદરા ગામ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ થશે..આ રથના માધ્યમથી કેન્દ્ર સરકારની કુલ ૧૭ જનકલ્યાણની યોજનાઓથી કોઈ પણ લાભાર્થી વંચિત ન રહે, તેવા પ્રયાસો હાથ ધરીને યોજનાની ૧૦૦% લક્ષ્યપૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સમીક્ષા બેઠકમાં ૧૭ જનકલ્યાણકારી યોજનાના અમલીકરણ અધિકારીઓ , તમામ તાલુકાના નોડલ અધિકારી તથા અમલીકરણ સમિતિના સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓ દ્વારા પ્રેઝેન્ટેશન રજૂ કરીને યાત્રાના જિલ્લા પ્રભારી શ્રી શ્યામલાલ પુનિયા સમક્ષ યાત્રાના આયોજન વિશેની માહિતી રજૂ કરી હતી. તેમજ જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જરૂરી સૂચનો પણ કર્યા હતા.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે