યુપીએના શાસનમાં ભ્રષ્ટાચારીઓને સૌથી વધુ સજા થઈઃ કપિલ સિબ્બલ

    0
    376

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું કે કોઈપણ ભ્રષ્ટાચારી બચવો ન જોઈએ.રાજ્યસભાના સાસંદ કપિલ સિબ્બલે  મંગળવારે વડાપ્રધાન મોદીના આ નિવેદન અંગે પલવાર કર્યો છે. કપીલ સિબ્બલે કહ્યું યુપીએ શાસન દરમિયાન ભ્રષ્ટાચારીઓને સૌથી વધુ સજા કરવામાં આવી હતી. સાથે જ તેમણે પીએમને પૂછ્યું કે ભ્રષ્ટાચારીઓને કોણ બચાવી રહ્યું છે. કપિલ સિબ્બલે ગયા વર્ષે મે મહિનામાં કોંગ્રેસ છોડી દીધી હતી. અને સમાજવાદી પાર્ટીના સમર્થનથી અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભામાં ચૂંટાયા હતા. તેમણે તાજેતરમાં જ અન્યાય સામે લડવાના હેતુથી બિન-ચૂંટણીલક્ષી પ્લેટફોર્મ ઈન્સાફ પણ શરૂ કર્યું છે.