Home State Gujarat CM Bhupendra Patel :સુરતમાં મુખ્યમંત્રીના હસ્તે જ્ઞાન અને પ્રકૃતિના ‘ત્રિવેણી સંગમ’નું ઉદ્ઘાટન:...

CM Bhupendra Patel :સુરતમાં મુખ્યમંત્રીના હસ્તે જ્ઞાન અને પ્રકૃતિના ‘ત્રિવેણી સંગમ’નું ઉદ્ઘાટન: ‘મન કી બાત’ કાર્યક્રમમાં આપી હાજરી

0
347
CM Bhupendra Patel
CM Bhupendra Patel

CM Bhupendra Patel :ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રવિવારે સુરતની મુલાકાત લઈને શહેરને સાહિત્ય અને પ્રકૃતિની ભેટ અર્પી હતી. મુખ્યમંત્રીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો હતો અને ત્યારબાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય પુસ્તક મેળો, ફ્લાવર શો અને હોર્ટિકલ્ચર મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું.

CM Bhupendra Patel :વડાપ્રધાનના વિચારોથી દિવસની શરૂઆત

CM Bhupendra Patel

સવારે 11:00 વાગ્યે મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, અન્ય મહાનુભાવો અને વિદ્યાર્થીઓ સાથે બેસીને વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાંભળ્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિઝનને બિરદાવતા આ કાર્યક્રમને ‘જનચેતનાનું મહાપર્વ’ ગણાવ્યું હતું.

CM Bhupendra Patel :સુરત બન્યું સાહિત્ય અને સંસ્કૃતિનું કેન્દ્ર

CM Bhupendra Patel

મુખ્યમંત્રીએ રિબન કાપીને ‘સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો’ ખુલ્લો મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સુરત હવે માત્ર ડાયમંડ અને ટેક્સટાઈલ માટે જ નહીં, પણ તેની સાહિત્યિક રૂચિ માટે પણ ઓળખાશે.

  • 11 વિશાળ ડોમ: આ મેળામાં કુલ 11 ડોમ તૈયાર કરાયા છે, જેમાં 63થી વધુ બુક સ્ટોલ્સ છે.
  • નમો પેવેલિયન: મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલા આ પેવેલિયનમાં વડાપ્રધાન મોદીના જીવન અને સુશાસન પરના પુસ્તકોનું પ્રદર્શન યોજાયું છે.

CM Bhupendra Patel :800 ચોરસ મીટરમાં રંગબેરંગી ફ્લાવર શો

CM Bhupendra Patel

પ્રકૃતિ પ્રેમીઓ માટે તૈયાર કરાયેલા ફ્લાવર શોમાં કેન્દ્ર સરકારની ‘પીએમ સૂર્યઘર’ અને ‘જલશક્તિ અભિયાન’ જેવી યોજનાઓને ફૂલોની કલાકૃતિ દ્વારા દર્શાવવામાં આવી છે. હોર્ટિકલ્ચર મેળામાં ગુજરાત અને મહારાષ્ટ્રની 40 થી વધુ નર્સરીઓએ ભાગ લીધો છે.

શિલ્પગ્રામ અને ફૂડ ઝોન: પરંપરા અને સ્વાદનો સંગમ

  • શિલ્પગ્રામ: 44 સ્ટોલ્સ સાથેના શિલ્પગ્રામમાં કચ્છી જ્વેલરી, એમ્બ્રોઇડરી અને હસ્તકળાની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે.
  • ફૂડ ઝોન: સુરતી સ્વાદના રસિયાઓ માટે 36 સ્ટોલ્સનો વિશાળ ફૂડ ઝોન પણ તૈયાર છે.

26 વર્ષની ગૌરવશાળી પરંપરા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2000થી શરૂ થયેલી આ પરંપરા આજે 26મા વર્ષમાં પ્રવેશી છે. આ મેળો 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી તમામ નાગરિકો માટે ખુલ્લો રહેશે. મુખ્યમંત્રીએ યુવા પેઢીને મોબાઈલથી દૂર રહી પુસ્તકો તરફ વળવા માટે આ મેળાનો લાભ લેવા ખાસ અપીલ કરી હતી.

આ પણ વાંચો :જૂનાગઢ પોલીસની મોટી કાર્યવાહી: કીર્તિ પટેલ રાજસ્થાનથી ઝડપાઈ, 7 દિવસમાં નોંધાઈ 3 FIR

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે