ડમીકાંડ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આપી પ્રતિક્રિયા

0
34

ડમીકાંડ અંગે સી.આર.પાટીલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પર આકરા પ્રહારો કર્યાં હતાં.ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે   આ મુદ્દે  પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જે વ્યક્તિ ડમી કૌભાંડની વાત કરતો હોય એ વ્યક્તિ જ પોલીસ તપાસમાં ગુનેગાર સાબિત થાય એ મોટી ઘટના છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકીય વ્યક્તિના નામ આપવા અને પુરાવા આપવા તે બંનેમાં મોટો તફાવત  છે.યુવરાજે એવા નામ આવ્યા છે જેના  વિરૂધ કોઇ પુરાવા નથી મળ્યાં. યુવરાજે લોકોને ડરાવી ધમકાવીને  પૈસા પડાવ્યા છે.