અમદાવાદ ખોખરા હાટકેશ્વર બ્રિજ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિજના જવાબદાર લોકો સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસ કાર્યવાહી શરૂ કરાઇ છે. ખોખરા પોલીસના પી.આઈ એ.વાય પટેલ સહિતની ટીમ SGS કંપનીના ડાયરેક્ટર્સ તેમજ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના ડાયરેક્ટર્સની ધરપકડ માટે પહોંચી છે. SGS કંપનીની થલતેજ ઓફીસ પર કોઈપણ ડાયરેક્ટર્સ નહીં મળતા ઘર પરિવારના સભ્યોના નિવેદનો લેવાયા છે. ઓફીસ સ્ટાફના પણ નિવેદનો લેવાયા છે. ખોખરા પોલીસે SGS કંપની સુકન 2, ગુરુદ્વારા પાસે, થલતેજની ઓફીસ પર ધરપકડની નોટીસ પણ લગાવી છે. અજય ઇન્ફ્રાસ્ટચર કંપનીના ડાયરેક્ટર્સની ધરપકડ માટે તેમજ ઘર અને ઓફીસ મહેસાણા તેમજ ગાંધીનગરમાં પણ ટીમ પહોંચી છે. કોન્ટ્રાકટર અજય ઇન્ફ્રાસ્ટચર કંપનીના ડાયરેકટર ધરપકડથી બચવા ફરાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. DCP ઝોન 5ની સ્પષ્ટ સૂચનાથી ખોખરા પોલીસ અને અન્ય ટીમ ધરપકડ વોરંટ સાથે અલગ અલગ લોકેશન પર રવાના કરવામાં આવી છે.
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.